સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયના પૈતૃક ઘરની આ હાલત છે, ગમે ત્યારે તૂટી શકે છે.

લાલા લજપત રાય દેશના સૌથી મોટા પ્રમુખ સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. દેશની આઝાદી માટે લડતા લડતા તેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. એવામાં તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુઓ આપણા માટે એક વિરાસત સમાન છે.લાલા લજપત રાય પંજાબ કેસરી ના નામથી જાણીતા હતા. પરંતુ તેમના પૈતૃક ઘરની હાલત એવી છે કે, ગમે ત્યારે તુટી શકે છે.

લાલા લજપત રાયનું પૈતુક ઘર પંજાબના જગરાંવમાં મિસરપુરા મહોલ્લામાં આવેલું છે. દેશ માટે બલિદાન આપનાર આ સ્વાતંત્ર્ય સેનાનીનું પૈતૃક  ઘર કોઇ મોટી ધરોહરથી ઓછું નથી. તેમના ઘરનું વિશેષ રીતે ધ્યાન રખાવું જોઇએ, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ વિરાસતના હાલ અત્યારે બદહાલછે. આ ઘરની દુર્દશા જોઇને તમે સમજી જશો કે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર નેતાના ઘરની કેવી રીતે જાળવણી કરવામાં આવી છે.

અહીંના લોકો બાળપણમાં લાલા લજપત રાયને પ્રેમથી લાલાજી કહીને બોલાવતા હતા. આ પૈતૃક ઘરમાં રમતા-કુદતા તેમનું  બાળપણ વિત્યું હતું. અહીં થી જ તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો. જે ઘર સાથે લાલા લજપત રાયની યાદો જોડાયેલી છે તેવા ઘરની હાલત દયનીય થઇ ગઇ છે. લાલા લજપત રાયના પિતાએ આ ઘર 1845માં બનાવ્યું હતું.

28 ફેબ્રુઆરી, 1865માં નાના ના ઘરે જન્મેલા લાલા લજપત રાયે પોતાનું બાળપણ મોહલ્લા મિસરપુરામાં તેમના પૈતૃક ઘરમાં વિતાવ્યુ હતું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેટલાંક સમય પહેલા લાલાજીના ઘર અને પુસ્તકાલયની મરમ્મત શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને અટકાવી દેવામાં આવી હતી.  ઘરના કેટલાંક હિસ્સામાં ખાસ કરીને દિવાલો પર પેચ ભરાયેલા અને મુખ્ય દરવાજા પર લાલ સીમેન્ટ લગાવેલી દેખાઇ છે. પરંતુ હજુ  પણ દિવારો પર તિરાડ જોવા મળી રહી છે.

પૈતૃક ઘરમાં બેડ અને ટેબલ પર લાલાજીની ખુરશી, દિવાલ પર ઘડિયાળ અને થોડા વાસણો પડેલાં છે. દિવાલો પર કલર ઉખડી જવાને કારણે પુસ્તકાલય પણ અસ્તવ્યસ્ત સ્થિતમાં હતું.

લાયબ્રેરીમાં કામ કરતા એક વ્યકિતએ જણાવ્યું કે, બે મહિના પહેલાં આ પૈતૃક સંપત્તિની મરમ્મતનું કામ શરૂ થયું હતું. પરંતુ 15 જ દિવસમાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યુ કે પેચ વર્ક કરવામાં આવ્યું હતું, દિવાલો ભીની હતી અને દરવાજા પર લગાવવામાં આવેલી સીમેન્ટ કાચી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.