આ ચોમાસું તોફાની બનશે,અંબાલાલ પટેલે વાવાઝોડાને લઇને મોટા આપ્યા સંકેત

હવામાનની આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરતા કહ્યુ છે કે આ ચોમાસું તોફોની બનશે અને નવેમ્બર મહિનામાં ચક્રવાત આવશે.જો કે તેમણે સાથે એમ પણ કહ્યું કે 2023નું ચોમાસું ઓવરઓલ સારું રહેશે.

કેટલાંક લોકો તેમની જિંદગીના અનુભવોને આધારે ચોમાસાની આગાહી કરતા હોય છે. કોઇ પક્ષીઓના અવાજના આધારે આગાહી કરે છે તો કોઇક કુદરતમાં જોવા મળતા પરિવર્તનોને આધારે આગાહી કરતા હોય છે.તો કેટલાંક લોકો અખાત્રીજના પવનના આધારે આગાહી કરે છે. પ્રાચીન વિદ્યાના જાણકારો વરસાદને દસ આની, બાર આની કે સોળ આની વરસાદ એવું કહેતા હોય છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે 2023નું ચોમાસું 10થી 12 આની રહેશે.16 આની વરસાદ સૌથી શ્રેષ્ઠ વરસાદ ગણવામાં આવે છે. તેમણે કહ્યું કે જૂન મહિનામાં જે નક્ષત્ર છે તે ચોમાસું લાવશે અને જૂન અને જુલાઇ મહિનામાં સારો વરસાદ રહેશે. ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ ઘટવા તરફી જોવા મળશે. સપ્ટેમ્બર મહિનામાં ફરી સારો વરસાદ રહેશે. 20 નવેમ્બરની આસપાસ વાવાઝોડું જોવા મળશે.

અંબાલાલે કહ્યું કે, રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો તે ચોમાસાની ગતિવિધી માટે સારું હોવાનું કહેવાય છે.જે પવન ફુંકાઇ છે તેને કારણે વરસાદ નિયમિત શરૂ થાય છે. તેમણે કહ્યુ કે, આ વખતે અરબ સાગરમાં પણ વાવાઝોડું આવશે અને બંગાળ મહાસાગરમાં પણ વાવાઝોડું જોવા મળશે. આ ચક્રવાત જો દક્ષિણ ગુજરાતના ભાગો તરફ જાય તો વરસાદ સારો રહેતો હોય છે અને જો ઓમાન તરફ જાય તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડતો હોય છે.બે ચક્રવાતને કારણે વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ જેમ જેમ ચક્રવાત આગળ આવશે ત્યારે વાયુને કારણે ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે. 

તેમણે કહ્યુ કે, 2023માં ચોમાસું સારુ રહેશે, પરંતુ ચક્રવાતની સ્થિતિ વારંવાર જોવા મળી શકે છે. 3 અને 4 જૂને અરબ સાગરમાં હળવું દબાણ ઉભું થશે, જે ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં આ વખતે નવેમ્બર મહિના સુધી વરસાદ વરસશે, મતલબ કે નવરાત્રી આ વખતે બગડી શકે છે.હવામાન વિભાગે આગાહી કરેલી છે કે  આગામી 24 કલાકમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

જુનાગઢ યુનિવર્સિટી ખાતે ચોમાસાને લઇને આયોજિત વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાનના જાણકાર 56 જેટલા નિષ્ણાતો ભેગા થયા હતા. ચર્ચાનો નિષ્કર્ષ એ નિકળ્યો હતો કે આ વખતું ચોમાસું 11 આની રહેશે.

તો પોરબંદર જિલ્લાના ભીમભાઇ ઓડેદરાનું કહેવું છે કે આ વખતે ચોમાસું મોડું રહેશે અને વરસાદ ખેંચાશે.તેમણે પણ 12આની વરસાદ રહેવાની આગાહી કરી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.