એ અભાગિયા ગામ, જ્યાં ગ્રામજનો પોતે તોડી નાખે છે પોતાનું પાકું મકાન, જાણો કારણ

‘લૉગ તૂટ જાતે હૈં એક ઘર બનાને મેં, તુમ તરસ નહીં ખાતે બસ્તિયા જલાને મેં’ શાયર બશીર બદ્રની આ પંક્તિઓ ખીરી જિલ્લાના એ ગામોનું દર્દ કહે છે, જ્યાં ઘર બને જ એટલે છે કે તેને તોડી દેવામાં આવે. પોતાના જ ઘર પર હથોડા ચલાવવા ગ્રામજનોની નિયતિ બની ચૂકી છે. આંખમાં આંસુ ભરેલા લોકો ઘરની દીવાલ પર નહીં, પોતાના કાળજા પર ઇજા પહોંચાડે છે. ખીરી જિલ્લાના 10 કરતા વધુ ગામ એવા છે જ્યાં આ બધુ દર વર્ષે પુનરાવર્તિત કરવામાં આવે છે. તેનું કારણ પણ ખૂબ અજીબ છે.
લોકો ઘર એટલે તોડતા નથી કે તેમનું મકાન ગેરકાયદેસર છે, એટલે તોડે છે કે શારદા અને ઘાઘરા નદીઓ તેમના મકાનોને ધોવા આગળ વધી રહી છે. ઘર પોતે તોડી લે તો ઈંટ, સળિયા બચાવી શકશે, નહીં તો બધુ પાણીમાં જ મળી જવાનું છે. આમ તો 4 મહિનાનું ચોમાસું ખેડૂતો માટે અમૃતકાળ હોય છે, પરંતુ ધૌરહરા તાલુકામાં શારદા અને ઘાઘરા નદીઓના કિનારે વસેલા ગામો માટે ચોમાસું કોઇ આફતથી ઓછું હોતું નથી. દર વર્ષે જ્યારે ચોમાસાની સીઝનમાં તબાહીના 4 મહિના આવે છે તો સિંચાઇ વિભાગ જ્યાં ત્યાં રોડા-પથ્થર નાખીને બચાવનો દેખાડો શરૂ કરે છે.
#UttarPradesh के लखीनपुर खीरी में शारदा नदी खतरे के निशान पर बह रही है। नदी के तेज बहाव से किनारों पर मिट्टी का कटान हो रहा है। महज कुछ सेकंड में ये मकान पानी में समा गया।#LatestNews #VideoViral #viralvideo #Video pic.twitter.com/CQB3aoKt3e
— Journalist Simran Singh (@singhsimran4321) July 7, 2023
પુર પ્રભાવિત બંશીબેલી ગામના લોકોનું કહેવું છે કે, જો આ જ કામ જ્યારે નદીમાં પાણી ઓછું હોય છે ત્યારે કરાવવામાં આવે તો થોડી રાહત મળી શકે છે. બંશીબેલના ભગવતી પ્રસાદે જણાવ્યું કે, ગામમાં બનેલા ઘરમાં 4 પેઢીઓ એક સાથે રહેતી હતી. નદી ધોવાણ કરતા ઘર તરફ વધી તો જે ઘરને અરમાનોથી બનાવ્યા હતા, તેને પોતાના જ હાથે તોડી નાખ્યા. હવે તેનો કાટમાળ ઠેકાણે લગાવી રહ્યા છીએ. આ વખત પણ બંશીબેલના લોકો પૂર્વજોના બનાવેલા એ ઘરોને તોડી રહ્યા છે. અહી ગામને લગભગ એક દશકથી ધોવાણનો ડર સતાવી રહ્યો છે.
દર વર્ષે ઘાઘરા નદી તબાહી મચાવે છે. પહલા ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ. જેથી અહીંયા ખેડૂતો સામે રોજી-રોટીનું સંકટ ઊભું થઈ ગયું. ત્યારબાદ ધોવાણ કરતી નદીએ ગામ તરફ આવવાની શરૂઆત કરી દીધી. બીજી તરફ ઘાઘરા નદી કૈરાતીપુરવા, ચકદરા અને ઓઝાપુરવા ગામોમાં પણ ધોવાણ કરી રહી છે. ખેતી યોગ્ય જમીનોનું ધોવાણ કરતી ઘાઘરા નદી વસ્તી તરફ વધી રહી છે. આ ગામોમાં નદી અને વસ્તી વચ્ચે વધારે અંતર રહ્યું નથી. ઘાઘરા નદીએ ગયા વર્ષે 2 વધુ ગામનું અસ્તિત્વ મટાડી દીધું. કૈરાતીપુરવા ગામના મજરા મહાદેવ પુરવા અને બિલાસપુરવા ગામ ઘાઘરા નદીના ખોળામાં સમાઈને અસ્તિત્વ મટાડી ચૂક્યા છે. ઘાઘરા નદીનું તેજ ધોવાણ આગળ પીડિતો વિવશ થઈ જાય છે.
પોતાના ઘરોને તોડીને સામાન સમેટીને અને પછી આમ-તેમ શરણ લઈને જીવન ગુજારવું તેમની નિયતિ બની ચૂકી છે. ધૌરહરામાં દર વર્ષે સેકડો પરિવાર ધોવાણનો ડંખ ઝીલીને બેઘર થવા મજબૂર થઈ જાય છે. ધૌરહરામાં ગામોનું અસ્તિત્વ ખતમ થવું કોઈ નવી વાત નથી. ડઝનો ગામ ધોવાણના કારણે અસ્તિત્વહીન થઈ ચૂક્યા છે. બાછેપારા, મોટાબાબા, ભદઈપુરાવા, સિદ્ધન પુરવા અને મોચનાપુર જેવા મોટા ગામ જેમની વસ્તી 4-5 હજાર વચ્ચે રહી. એવા આખા ગામ ઘાઘરા નદીની લહેરો સાથે વહી ચૂક્યા છે.
ફિરોઝાબાદ ધૌરહરા તાલુકાનું પરગણા છે. આ ગામ દશકો પહેલા ધોવાઈ ચૂક્યું છે. અલબત્ત રાજસ્વ અભિલેખોમાં આજે પણ પરાગણા ફિરોઝાબાદ નોંધાયેલું છે. ઘાઘરા આ વિસ્તારમાં ડુંડકી, હટવા, ચકદહા, શેખુપુર અને પલિહા વગેરે ગ્રામ પંચાયતોને ખતમ કરી ચૂકી છે. ધૌરહરામાં શારદોનો પણ કેર કંઈ ઓછો નથી. શારદાએ અહીં મંદુરા, મડવા, રેની, સમદહા અને ચહમલપુર જેવા મોટા ગામોને જોત જોતમાં ઉજાડી દીધા. ઘર અને જમીનો ધોવાઈ ગયા બાદ પીડિત પરિવાર અત્યારે પણ જ્યાં ત્યાં પડ્યા છે. કોઈ હાઇવે કિનારે વસી ગયું તો કોઈ ખેતરોમાં જ પડેલું રહ્યું. ગામમાં સરકારી જમીન પણ બચી નથી, જેના પર પ્રશાસન પીડિતોને વસાવી શકે. એવામાં પીડિત પરિવાર પોતાના પુનર્વાસનો જેમ તેમ કરીને બંદોબસ્ત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp