દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીનું પ્રદર્શન,આ છે માગ

જૂની પેન્શન યોજના (OPS) લાગૂ કરવાની માંગને લઈને દેશભરથી હજારો સરકારી કર્મચારી રવિવારે રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં ભેગા થયા. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેંશ સ્કીમ (NMOPS)ના તત્વાધાનમાં કર્મચારીઓએ કેન્દ્ર સમક્ષ પોતાની માગ ઉઠાવવા માટે એક રેલીનું આયોજન કર્યું. પેન્શન શંખનાદ મહારેલીનું આયોજન હાલની રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે કેન્દ્ર પર દબાવ બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે.

રેલીના આયોજકોએ મીડિયાકર્મીઓને કહ્યું કે, ચાર રાજ્ય અગાઉ જ ઓલ્ડ પેંશ યોજના લાગુ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે તો કેન્દ્ર તેને લાગૂ કેમ નહીં કરી શકે. દેશના વિભિન્ન હિસ્સાઓથી હજારો સરકારી કર્મચારીઓએ રામલીલા મેદાનમાં રેલીમાં હિસ્સો લીધો. આ રેલી ત્યારે આયોજિત કરવામાં આવી રહી છે, જ્યારે કેન્દ્ર આ વર્ષે માર્ચમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પસંદ કરવાનો વિકલ્પ લઈને આવ્યું હતું. કાર્મિક મંત્રાલયની મંત્રાલયની એક અધિસૂચના મુજબ જે કર્મચારી 22 ડિસેમ્બર 2003, જે દિવસે NPS અધિસૂચિત કરવામાં આવી હતી.

અગાઉની જાહેરાત કે અધિસૂચિત પદો પર કેન્દ્ર સરકારની સેવાઓમાં સામેલ થયા. તેઓ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ જૂની પેન્શન યોજનામાં સામેલ થવા માટે પાત્ર છે. સરકારી કર્મચારીઓના પસંદગીના ગ્રુપ 31 ઑગસ્ટ 2023 સુધી આ વિકલ્પને પસંદ કરી શકે છે. મંત્રાલયે કહ્યું હતું કે એક વખત ઉપયોગ કરવામાં આવેલો વિકલ્પ અંતિમ હશે. આ સંબંધમાં વિભિન રજૂઆતો, સંદર્ભ અને કોર્ટના નિર્ણયો બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે. એ બધા મામલાઓમાં જ્યાં કેન્દ્ર સરકાર સિવિલ કર્મચારીને કોઈ પદ કે ખાલી જગ્યા વિરુદ્ધ નિમણૂક કરવામાં આવી છે

જેણે NPS માટે અધિસૂચિત તારીખ કે 22 ડિસેમ્બર 2003થી અગાઉ ભરતી/નિમણૂક માટે જાહેરાત/અધિસૂચિત કરવામાં આવ્યા હતા અને 1 જાન્યુઆરી 2004ને કે ત્યારબા સેવામાં સામેલ થવા પર NPS હેઠળ કવર કરવામાં આવ્યું છે. CCS (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ કવર કરવા માટે એક વખત વિકલ્પ આપવામાં આવી શકાય છે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ સરકારી કર્મચારી જે વિકલ્પનો પ્રયોગ કરવાને પાત્ર છે, પરંતુ જે નિર્ધારિત તારીખ સુધી આ વિકલ્પનો પ્રયોગ કરતા નથી. તેમને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી દ્વારા કવર કરવાનું ચાલુ રહેશે.

શું છે OPS?

OPS હેઠળ કર્મચારીઓને એક નક્કી પેન્શન મળે છે. એક કર્મચારી પેન્શનના રૂપમાં છેલ્લા પગારની 50 ટકા રકમના હકદાર છે. OPSને NDA સરકારે વર્ષ 2003માં 1 એપ્રિલ 2004થી બંધ કરી દીધી હતી. તો NPS હેઠળ કર્મચારી પોતાના મૂળ વેતનના 10 ટકા પેન્શન માટે યોગદાન કરે છે, જ્યારે સરકાર 14 ટકાનું યોગદાન કરે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન યોજના (OPS)ને લઈને સમર્થન કર્યું છે અને કહ્યું કે, તેમણે કેન્દ્રને દિલ્હી સરકારના કર્મચારીઓ માટે તેને લાગૂ કરવાનો અનુરોધ કર્યો છે. જૂની પેન્શન યોજનને લાગૂ કરવા માટે 20 કરતા વધુ રાજ્યોના કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રામલીલા મેદાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે તેમની આ ટિપ્પણી આવી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.