દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીનું પ્રદર્શન,આ છે માગ

જૂની પેન્શન યોજના (OPS) લાગૂ કરવાની માંગને લઈને દેશભરથી હજારો સરકારી કર્મચારી રવિવારે રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં ભેગા થયા. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેંશ સ્કીમ (NMOPS)ના તત્વાધાનમાં કર્મચારીઓએ કેન્દ્ર સમક્ષ પોતાની માગ ઉઠાવવા માટે એક રેલીનું આયોજન કર્યું. પેન્શન શંખનાદ મહારેલીનું આયોજન હાલની રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે કેન્દ્ર પર દબાવ બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે.
રેલીના આયોજકોએ મીડિયાકર્મીઓને કહ્યું કે, ચાર રાજ્ય અગાઉ જ ઓલ્ડ પેંશ યોજના લાગુ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે તો કેન્દ્ર તેને લાગૂ કેમ નહીં કરી શકે. દેશના વિભિન્ન હિસ્સાઓથી હજારો સરકારી કર્મચારીઓએ રામલીલા મેદાનમાં રેલીમાં હિસ્સો લીધો. આ રેલી ત્યારે આયોજિત કરવામાં આવી રહી છે, જ્યારે કેન્દ્ર આ વર્ષે માર્ચમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પસંદ કરવાનો વિકલ્પ લઈને આવ્યું હતું. કાર્મિક મંત્રાલયની મંત્રાલયની એક અધિસૂચના મુજબ જે કર્મચારી 22 ડિસેમ્બર 2003, જે દિવસે NPS અધિસૂચિત કરવામાં આવી હતી.
અગાઉની જાહેરાત કે અધિસૂચિત પદો પર કેન્દ્ર સરકારની સેવાઓમાં સામેલ થયા. તેઓ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ જૂની પેન્શન યોજનામાં સામેલ થવા માટે પાત્ર છે. સરકારી કર્મચારીઓના પસંદગીના ગ્રુપ 31 ઑગસ્ટ 2023 સુધી આ વિકલ્પને પસંદ કરી શકે છે. મંત્રાલયે કહ્યું હતું કે એક વખત ઉપયોગ કરવામાં આવેલો વિકલ્પ અંતિમ હશે. આ સંબંધમાં વિભિન રજૂઆતો, સંદર્ભ અને કોર્ટના નિર્ણયો બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે. એ બધા મામલાઓમાં જ્યાં કેન્દ્ર સરકાર સિવિલ કર્મચારીને કોઈ પદ કે ખાલી જગ્યા વિરુદ્ધ નિમણૂક કરવામાં આવી છે
જેણે NPS માટે અધિસૂચિત તારીખ કે 22 ડિસેમ્બર 2003થી અગાઉ ભરતી/નિમણૂક માટે જાહેરાત/અધિસૂચિત કરવામાં આવ્યા હતા અને 1 જાન્યુઆરી 2004ને કે ત્યારબા સેવામાં સામેલ થવા પર NPS હેઠળ કવર કરવામાં આવ્યું છે. CCS (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ કવર કરવા માટે એક વખત વિકલ્પ આપવામાં આવી શકાય છે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ સરકારી કર્મચારી જે વિકલ્પનો પ્રયોગ કરવાને પાત્ર છે, પરંતુ જે નિર્ધારિત તારીખ સુધી આ વિકલ્પનો પ્રયોગ કરતા નથી. તેમને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી દ્વારા કવર કરવાનું ચાલુ રહેશે.
શું છે OPS?
OPS હેઠળ કર્મચારીઓને એક નક્કી પેન્શન મળે છે. એક કર્મચારી પેન્શનના રૂપમાં છેલ્લા પગારની 50 ટકા રકમના હકદાર છે. OPSને NDA સરકારે વર્ષ 2003માં 1 એપ્રિલ 2004થી બંધ કરી દીધી હતી. તો NPS હેઠળ કર્મચારી પોતાના મૂળ વેતનના 10 ટકા પેન્શન માટે યોગદાન કરે છે, જ્યારે સરકાર 14 ટકાનું યોગદાન કરે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન યોજના (OPS)ને લઈને સમર્થન કર્યું છે અને કહ્યું કે, તેમણે કેન્દ્રને દિલ્હી સરકારના કર્મચારીઓ માટે તેને લાગૂ કરવાનો અનુરોધ કર્યો છે. જૂની પેન્શન યોજનને લાગૂ કરવા માટે 20 કરતા વધુ રાજ્યોના કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રામલીલા મેદાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે તેમની આ ટિપ્પણી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp