CM નીતિશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતથી પકડાયો

CM નીતિશ કુમારને બોમ્બની ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ગુજરાત પોલીસે સુરતમાંથી પકડીને બિહાર પોલીસને સોંપ્યો હતો.

આરોપી યુવકે બિહારના CMને ઇન્ટરનેટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 20 માર્ચના રોજ આરોપીઓએ વોટ્સએપ મેસેજ મોકલીને CM નીતિશ કુમારને મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ બિહાર પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના પગલે બિહાર પોલીસે યુવકને પકડવા માટે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને ઝડપી લેવા તપાસમાં લાગી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લસકાણા ગામમાં રહેતા 28 વર્ષીય અંકિતકુમાર વિનય કુમાર મિશ્રાની ધરપકડ કરી છે. પોલીસની કડક પૂછપરછ બાદ જાણવા મળ્યું કે, આરોપીએ 20 માર્ચે ઈન્ટરનેટ દ્વારા એક મીડિયા ચેનલનો સંપર્ક કર્યો હતો. બિહારના CMને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરીને પટણા જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપી દીધો છે. બિહાર પોલીસ આરોપીને લઈને ગુજરાતમાંથી રવાના થઈ ગઈ છે. પોલીસ આરોપીને બિહાર લાવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ અંકિત મિશ્રા છે. પોલીસે મંગળવારે સુરતમાંથી તેની ધરપકડ કરી હતી. તેણે વ્હોટ્સએપ દ્વારા CM નીતિશ કુમારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પટના પોલીસ આજે આરોપીને લઈને પટના પરત ફરશે. આ પછી તેની પૂછપરછ કરવામાં આવશે કે તેણે CMને કેમ ધમકી આપી.

બિહાર પોલીસે 20 માર્ચે જ આરોપીનો મોબાઈલ નંબર સર્વેલન્સમાં મૂક્યો હતો, જેનું લોકેશન સુરતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, પટના પોલીસની ટીમે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો અને આરોપીને પકડવામાં મદદ માંગી. આ પછી ટીમ પટનાથી સુરત પહોંચી અને 70-72 કલાકમાં સુરત પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી હતી.

હવે મહત્વની વાત એ છે કે, આરોપીએ બિહારના CMને કેમ ધમકી આપી, પોલીસે આખો મામલો નથી જણાવ્યો, પરંતુ હવે બિહારના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓ સુરતના અંકિતની તપાસ કરશે. પોલીસે જણાવ્યું કે આરોપી લૂમ ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે. છેલ્લા 6 વર્ષથી સુરત શહેરમાં રહે છે. આટલું જ નહીં અંકિતે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેણે ગૂગલ પર ઘણા નંબરો સર્ચ કર્યા અને પછી મીડિયા ચેનલો દ્વારા તેણે તેમને (CM નીતીશ કુમારને) ધમકી આપી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.