વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પાસે દુર્લભ પ્રજાતિ સાંપોના ઝેરની તસ્કરી પકડાઇ

ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવન કરોડો કૃષ્ણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો ખોટા કામ કરવાથી ઉપર આવતા નથી. વૃંદાવનમાં દુર્લભ પ્રજાતિના સાંપોનું ઝેર કાઢીને તસ્કરી કરવામાં આવી રહી છે અને તેનું ગેરકાયદેસર વેંચાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા મેનકા ગાંધીની NGO પીપલ ફોર એનિમલ્સની ફરિયાદ પર વન વિભાગે કાર્યવાહી કરી છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પરથી 4 બ્લેક કોબરા અને 4 અજગરોને રેસ્ક્યૂ કર્યા છે.

આ મામલે 4 લોકો વિરુદ્ધ વન્યજીવ અધિનિયમ અને પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી 3 સાંપ તસ્કરોની ધરપકડ કરી છે. પશુઓ માટે કામ કરી રહેલી સંસ્થા પીપલ ફોર એનિમલ (PFA)માં એનિમલ વેલ્ફેર અધિકારી ગૌરવ ગુપ્તાને સૂચના મળી કે વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પાસે કેટલાક વન્ય જીવ તસ્કર કોબરા સાંપોને પકડીને તેનું ઝેર કાઢી રહ્યા છે અને ગેરકાયદેસર વેંચી રહ્યા છે.

દુર્લભ પ્રજાતિના અજગરોને કરોડો રૂપિયામાં વેંચવામાં આવે છે. બાતમીના આધાર પર સંસ્થાની ટીમે પોલીસ અને વન વિભાગની ટીમને તેની જાણકારી આપી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પરથી 3 સાંપ તસ્કરોની ધરપકડ કરી છે. વન વિભાગે તેમના કબજામાંથી 4 અજગર અને 4 કોબરા સાંપ જપ્ત કર્યા છે. પોલીસ પૂછપરછમાં 3 તસ્કરોમાંથી એકે ખુલાસો કર્યો કે તેઓ સાંપનું ઝેર ગાઝિયાબાદના રહેવાસી નિખિલ સિસોદિયા નામના વ્યક્તિને વેંચે છે.

આ મામલે NGOના અધિકારી ગૌરવ ગુપ્તા ફરિયાદ પર પોલીસે 3 તસ્કર સતપાલ, શ્યામનાથ અને પપ્પુનાથ બસઈ, (રહે. શેરગઢ મથુરા) અને ઝેર ખરીદનાર નિખિલ સિસોદિયા વિરુદ્ધ વન્ય જીન સંરક્ષણ અધિનિયમ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 9, 39, 50, 51 અને 11 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી વિજય કુમાર સિંહે જણાવ્યું કે, બાંકે બિહારી મંદિર ક્ષેત્રથી 3 સાંપ તસ્કરોની 4 અજગર અને 4 કોબરા સાંપ સાથે ધરપકડ કરવામાં આવી. તેમની વિરુદ્ધ PFA સંસ્થાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે ચોથા વ્યક્તિની તપાસ શરૂ આ દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.