તિરૂપતિ લાડુ વિવાદની આખા દેશમાં અસર, મંદિરોમાં પ્રસાદ ચઢાવવા પર બેન, સેમ્પલો..

On

આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવતા ‘પ્રસાદમ્ લાડુ’માં પશુઓની ચરબીની ભેળસેળ કરવાને લઇને ઉઠેલા વિવાદ વચ્ચે દેશભરના ઘણા મંદિરોમાં ચઢાવાતા પ્રસાદો પર અથવા તો રોક લગાવી દેવામાં આવી છે કે પછી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લખનૌના પ્રસિદ્ધ મનકામેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા બહારથી લાવીને પ્રસાદ ચઢાવવા પર રોક લગાવી દેવામાં આવી છે. મંદિર પ્રશાસને ભક્તોને આગ્રહ કર્યો છે કે તેઓ ઘરનો પ્રસાદ કે સૂકા મેવા જ ભોગ લગાવે.

તિરૂપતિ મંદિરમાં ભોગ પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ રાજસ્થાન સરકારની ખાદ્ય સુરક્ષાની ટીમ જયપુરના મોતી ડૂંગરી મંદિરે પહોંચી હતી. એડિશનલ ફૂડ સેફ્ટિ કમિશનર પંકજ ઓઝાની આગેવાનીમાં ટીમે ભોગ પ્રસાદ બનાવતી રસોઇ અને શુદ્વતાના પ્રમાણોની તપાસ કરી. ઘી અને પાણીને સારી રીતે ચેક કર્યા. નિરીક્ષણ બાદ આ મંદિરમાં ભોગ પ્રસાદને બધા પ્રમાણ પર શુદ્ધ અને સુરક્ષિત બતાવ્યા. તિરૂપતિની ઘટના બાદ મથુરામાં પણ ખાદ્ય અને ઔષધિ પ્રશાસન વિભાગ (FSDA) સક્રિય થઇ ગયો અને છેલ્લા 48 કલાકમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રસાદના રૂપમાં વેચાઇ રહેલા પદાર્થોના કુલ 13 સેમ્પલ જમા કરીને લેબ મોલવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, શ્રીકૃષ્ણ જન્મભૂમિ, વૃંદાવનના ઠાકુર બાંકેબિહારી મંદિર અને ગોવર્ધનના દાનઘાટી મંદિર બહાર આવેલી દુકાનો પરથી આ સેમ્પલ લેવામાં આવ્યા. FSDAના આસિસ્ટન્ટ કમિશનર ધીરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ ટીમે ઠાકુર બાંકેબિહારી મંદિર, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ગોવર્ધન મંદિર બહાર પ્રસાદની દુકાનોમાંથી સેમ્પલ લીધા અને તેમને તપાસ માટે લેબ મોકલી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લેબનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઇ જશે કે અહી વેચાઇ રહેલા પ્રસાદના રૂપમાં ભોગ લગાવાતા પદાર્થોમાં કોઇ પ્રકારની ભેળસેળ છે કે નહીં.

સિંહે જણાવ્યું કે, આખા જિલ્લામાં મોટા પ્રમાણ પર પ્રસાદની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવશે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ ટીમો જઇને નમૂના લઇને કાર્યવાહી કરશે. જ્યાં પણ પ્રસાદનું વેચાણ ખુલ્લામાં જોવા મળશે, ત્યાં નમૂના ભરવાનું અભિયાન વિશેષ રૂપે ચલાવવામાં આવશે. છેલ્લા 2 દિવસમાં ટીમે લગભગ 13 સ્થળો પરથી સેમ્પલ જમા કર્યા હતા. એ સેમ્પલોને પણ લેબ મોકલવામાં આવ્યા છે. સેમ્પલના તપાસ રિપોર્ટ મળ્યા નથી. રિપોર્ટ મુજબ જેના સેમ્પલ તપાસમાં અનુપયુક્ત જોવા મળશે, તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.