TMC નેતા સાકેત ગોખલેને ગુજરાત પોલીસ કર્યા ડિટેન, જાણો શું છે મામલો

તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા સાકેત ગોખલેને ગુજરાત પોલીસ દિલ્હીથી ડિટેન કરી લીધા છે. ક્રાઉન્ડ ફંડિંગ કેસમાં ગુજરાત પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. આ અગાઉ પણ ગુજરાત પોલીસે જ સાકેત ગોખલેની ધરપકડ કરી હતી. તેમના તરફથી મોરબી પૂલ દુર્ઘટનાને લઇને એક નકલી ટ્વીટ શેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે ગુજરાત પોલીસે ત્રીજી વખત સાકેત ગોખલે વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

મોરબી પૂલ અકસ્માતમાં જ્યારે નકલી ટ્વીટ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આગામી દિવસે જ તેમને જામીન મળી ગયા હતા, પરંતુ થોડા જ કલાકો બાદ મોરબી પોલીસે ફરી તેમની ધરપકડ કરી લીધી, સાકેત ગોખલેએ મોરબી પુલ અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. આ વખત પૈસા સાથે જોડાયેલા એક કેસમાં ગુજરાત પોલીસ દિલ્હી સુધી ગઇ અને તેમણે સાકેત ગોખલેને ડિટેન કરી લીધા.

ઓક્ટોબરના અંતમાં મોરબી બ્રિજ તૂટવાના કારણે 141 જેટલા લોકોના મોત થઇ ગયા હતા, તેમાં 55 બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં 100 લોકો માત્ર મોરબી જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માતવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. અને તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ઇજાગ્રસ્ત લોકોની હૉસ્પિટલમાં મુલાકાત પણ લીધી હતી. આમ વિવાદો સાથે સાકેટ ગોખલેનો જૂનો સંબંધ છે.  મેઘાલય સરકારે તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે.

સાકેત ગોખલેએ મેઘાલય ઇકોટુરિઝ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 632 કરોડ રૂપિયાની હેરા ફેરીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. ત્યારે સાકેત ગોખલેએ 4 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, મેઘાલય ઇકો ટૂરિઝ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં 632 કરોડ રૂપિયાની હેરા ફેરી કરવામાં આવી છે. આ હેરા ફેરી મેઘાલય એજ કંપની હેઠળ થઇ છે, જેનું સંચાલન મુખ્યમંત્રી કોનરાડ સંગમાના ટોચના સહયોગી IAS અધિકારી ડી. વિજય કુમારે કર્યું છે. મેઘાલય સરકારે મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને સરકાર વિરુદ્વ મીડિયામાં આ પ્રકારના ખોટા અને અપમાનજનક નિવેદન આપવાના કેસમાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.