ચેકિંગથી બચવા યાત્રી શૌચાલયમાં ઘુસ્યો,ધૂમ્રપાન કરી સિગારેટ કચરામાં ફેંકી, પછી...

બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિ-સિકંદરાબાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ધુમાડો નીકળ્યો હતો. આ ઘટના બાદ ટ્રેનના ડ્રાઈવરે તેને આંધ્રપ્રદેશના મનુબોલુ ગામમાં રોકી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન નેલ્લોર જિલ્લામાંથી પસાર થઈ રહી હતી અને લોકો પાયલટે સ્ટાફને ધુમાડા અને આગ વિશે ચેતવણી આપી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ત્યાર પછી તપાસ કરતા રેલવે સ્ટાફને એક કોચના ટોયલેટમાંથી આ ધુમાડો નીકળતો દેખાયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, તિરુપતિ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં એક ટિકિટ વગરનો યાત્રી મુસાફરી કરી રહ્યો હતો. આ મુસાફર ટિકિટ ચેકરના ચેકિંગથી બચાવવા માટે ટ્રેનના C-13 કોચમાં પોતાની જાતને બંધ કરી દીધી હતી. કહેવામાં આવે છે કે, આ મુસાફર તિરુપતિથી અનધિકૃત રીતે ટ્રેનમાં ચઢ્યો હતો. ટિકિટ વિનાના મુસાફરે શૌચાલયમાં રહેલી પ્લાસ્ટિકની નકામી સામગ્રી પર સળગતી સિગારેટ ફેંકી દીધી હતી. જેના કારણે તેમાં આગ લાગી હતી.

આ પછી, ટોઇલેટમાંથી ધુમાડો નીકળવાનું શરુ થઇ ગયું હતું, જે લોકો પાઇલટની નજરમાં આવી ગયું. આ વાતને ગંભીરતાથી લઈને લોકો પાયલટે હાજર સ્ટાફને જાણ કરી. આ મામલે કોઈ જાનહાનિ વગેરે થવા અંગે કોઈ માહિતી નથી. આ મામલામાં મુસાફરની નેલ્લોરમાં અટકાયત કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ મધ્ય રેલવે હેઠળ ચાલતી તિરુપતિ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન 8 એપ્રિલ 2023ના રોજ PM નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને કર્યું હતું. સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ એ બીજી વંદે ભારત ટ્રેન છે જે ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેલંગાણાથી રજૂ કરવામાં આવી છે.

તિરુપતિ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સિકંદરાબાદથી સવારે 6.15 વાગ્યે ઉપડે છે. મુસાફરી દરમિયાન, આ ટ્રેન સવારે 7:29 વાગ્યે નાલગોંડા, સવારે 9:35 વાગ્યે ગુંટુર, 11:12 વાગ્યે ઓંગોલ, 12:29 વાગ્યે નેલ્લોર સ્ટેશને રોકાઈને પછી બપોરે 2:30 વાગ્યે તિરુપતિ પહોંચશે. આના પછી, તે જ વંદે ભારત ટ્રેન બપોરે 3:15 વાગ્યે તિરુપતિથી શરુ થાય છે અને રાત્રે 11:30 વાગ્યે સિકંદરાબાદ પહોંચે છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.