મોદી સરકાર બોલી- સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં અમારા પ્રતિનિધિ સામેલ કરે

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને સલાહ આપવામાં આવી છે કે કોલેજીયાંમાં તેમના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ CJIને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે, જજોની નિમણૂકની પ્રક્રિયામાં સરકારી પ્રતિનિધિ સામેલ કરવાથી સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને જનતા પ્રત્યે જવાબદારી પણ નક્કી થશે. કિરેન રિજિજુએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીની અછત છે. હાઇ કોર્ટમાં પણ જજોની નિમણૂક પ્રક્રિયામાં સંબંધિત રાજ્ય સરકારના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે.

લોકસભાના ઉપાધ્યક્ષ પણ કહી ચૂક્યા છે કે, સુપ્રીમ કોર્ટ મોટા ભાગે સભ્યતાના કામકાજમાં દખલઅંદાજી કરે છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ ખતરનાક છે. ન્યાયિક નિમણૂકોમાં સરાકરી હસ્તક્ષેપ જરાય ન હોવો જોઇએ. એક અંગ્રેજી અખબારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, કાયદા મંત્રીના સૂચનને સુપ્રીમ કોર્ટ માની લે એવું મુશ્કેલ છે. CJI ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળા કોલેજિયમના 5 અન્ય સભ્ય છે. તેમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ કે.એમ. જોસેફ, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ છે.

પહેલા તેમાં CJI સિવાય અન્ય 4 જસ્ટિસ હતા, જેમાં કોઇ પણ CJI ઉત્તરાધિકારી નહોતા. એટલે બાદમાં જસ્ટિસ સંજીવ ખન્નાને છઠ્ઠા મેમ્બર તરીકે કોલેજિયમમાં સામેલ કરવામાં આવ્યા, જો કે CJIના ઉત્તરાધિકારી છે, કોલેજિયમમાં આ સૂચનને સુપ્રીમ કોર્ટ સરકારની નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ એક્ટ (NJAC) લાવવાની સરકારની નવા પ્રયત્ન તરીકે જોઇ રહી છે. NJACને વર્ષ 2014માં સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું, પરંતુ ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે તેને અસંવૈધાનિક કરાર આપી દીધો હતો.

જે NJACને સુપ્રીમ કોર્ટ વર્ષ 2015માં આ સંવૈધાનિક કહી ચૂકી છે, તેમાં જજોની નિમણૂકને લઇને બદલાવ કરવામાં આવ્યા હતા, તેમાં NJACની આગેવાની CJIએ કરવાની હતી. એ સિવાય 2 સૌથી વરિષ્ઠ જજોને રાખવાના હતા. એ સિવાય કાયદા મંત્રી અને 2 પ્રતિષ્ઠિત લોકોને NJACમાં રાખવાની વ્યવસ્થા હતી. પ્રતિષ્ઠિત લોકોનું સિલેક્શન વડાપ્રધાન, નેતા વિપક્ષ અને CJIની પેનલે કરવાની વ્યવસ્થા હતી. અત્યારે જજોની નિમણૂક પર કિરેન રિજિજુનો પત્ર એવી જ વ્યવસ્થા માટે માનવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ શું છે?

તે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક અને ટ્રાન્સફરની પ્રણાલી છે. કોલેજિયમના સભ્ય જ જજ હોય છે. તેઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને નવા જજોની નિમણૂક કરવા માટે નામોના સૂચન મોકલે છે. મંજૂરી મળ્યા બાદ જજોને અપોઇન્ટ કરવામાં આવે છે. દેશમાં કોલેજિયમ સિસ્ટમ વર્ષ 1993માં લાગૂ થયું હતું. કોલેજિયમમાં 5 સભ્ય હોય છે. CJI તેમાં પ્રમુખ હોય છે. એ સિવાય 4 મોસ્ટ સીનિયર જજ હોય છે. અત્યારે તેમાં 6 જજ છે. કોલેજિયમ જ સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં જજોની નિમણૂક અને તેમના નામની ભલામણ કેન્દ્રને કરે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.