સરકારના આ દાવથી ટામેટાના ભાવ આસમાનથી જમીન પર, અહી વેચાઈ રહ્યા છે 14 રૂપિયા કિલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે માત્ર એક દાવથી ટામેટાના ભાવ આસમાનથી જમીન પર આવી ગયા. થોડા જ અઠવાડિયા અગાઉ ટામેટાં જ્યાં 180 થી 200 રૂપિયા પ્રતિ કિલોની કમરતોડ કિંમત હતી, તો હવે ટામેટાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે મૈસૂરના માર્કેટમાં 14 રૂપિયા કિલો ટામેટા વેચાઈ રહ્યા છે. તેની સાથે જ દેશભરના ખુદરા બજારોમાં ટામેટાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોથી નીચે આવી ગઈ છે.

સપ્લાઈ વધવાના કારણે જથ્થાબંધ કિંમતોમાં ભારે ઘટાડો આવ્યો છે. હવે ટામેટાંની કિંમત ઘટવાના હાલના રૂઝાનના આગામી થોડા મહિના સુધી ચાલુ રહેવાની આશા છે, જેથી સામાન્ય લોકોને એક મોટી રાહત મળી રહી છે, જ્યારે ટામેટાની ખેતી કરી રહેલા ખેડૂત નિરાશ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નેપાળથી મોટી માત્રામાં ટામેટાનું આયાત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ જ ઉત્તર ભારતના બજારોમાં સસ્તા ટામેટાં આવવાથી કર્ણાટકની માર્કેટમાં કિંમત ખૂબ જ ઘટી છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, રવિવારે મૈસૂર APMCમાં ટામેટાની કિંમતો ઘટીને 14 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે શનિવારે 20 રૂપિયા હતી. બેંગ્લોરમાં રવિવારે ખુદરા કિંમત 30 રૂપિયાથી 35 રૂપિયા પ્રતિ કિલો વચ્ચે હતી. કિંમતોમાં આ ઘટાડાનું કારણ ઉત્તરી રાજ્યોમાં માગ ઓછી થવાનું માનવામાં આવી રહ્યું છે, જેનું મુખ્ય કારણ નેપાળથી ટામેટાની આયાત છે. માર્કેટ એક્સપર્ટને આગળ પણ ટામેટાંની કિંમતોમાં ઘટાડાની આશા છે. આગળ જઈને જથ્થાબંધ બજારમાં કિંમત સંભવતઃ 10 રૂપિયાથી 5 રૂપિયા પ્રતિ કિલો સુધી થઈ શકે છે.

મૈસૂર APMCના સચિવ એમ.આર. કુમારસ્વામીએ કહ્યું કે, ટામેટાંની ઘણી બધી સપ્લાઈએ કિંમત ઓછી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. APMCનએ નિયમિત આધાર પર લગભગ 40 ક્વિન્ટલ ટામેટા મળે છે. કર્ણાટક રાજ્ય રાયથા સંઘના મહાસચિવ ઇમ્માવુ રઘુએ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને ટામેટાં અને અન્ય શાકભાજીઓની કિંમતોને સ્થિર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, એક કિલો ટામેટાંનો ઉત્પાદન ખર્ચ લગભગ 10-12 રૂપિયા છે. પેકેજિંગ અને પરિવહન માટે અતિરિક્ત 3 રૂપિયાની જરૂરિયાત હોય છે, જો ખેડૂતોને માત્ર 14 રૂપિયા પ્રતિ કિલો મળે છે તો તેમને ખૂબ નુકસાન થઈ શકે છે. શાકભાજીઓની ખરીદી, પેકેજિંગ, સ્ટોરેજ અને વેચાણને સંભાળવા માટે એક નવા તંત્રની તાત્કાલિક જરૂરિયાત છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.