'શિખો સાથે ગદ્દારી...', રાહુલ ગાંધીના પંજાબમાં આગમન પર ગુસ્સે થયા હરસિમરત કૌર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' પંજાબ પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરની મુલાકાત પણ લીધી હતી. હવે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારત જોડો યાત્રાના પંજાબમાં પહોંચવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ વિપક્ષનો એક વર્ગ હજુ પણ કોંગ્રેસને શીખ વિરોધી તરીકે જુએ છે. આ કારણે આ વખતે જ્યારે રાહુલ પંજાબ પહોંચ્યા છે ત્યારે અકાલી નેતા હરસિમરત કૌરે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. તેમના તરફથી કોંગ્રેસના કાર્યકરોની ઉપર પણ સવાલોનો મારો ચલાવવામાં આવ્યો છે.

હરસિમરતનું કહેવું છે કે, પંજાબ અને શીખો સાથે વિશ્વાસઘાત કરનાર અને શીખોના ધાર્મિક સ્થળોને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર ગાંધી પરિવારના ઉત્તરાધિકારી રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં પંજાબ કોંગ્રેસની આતુરતા અને ખુશી જોવી શરમજનક છે. આજ સુધી આ પરિવારે માફી માંગી નથી, તમે તેમનું સ્વાગત કરી રહ્યા છો. હું કોંગ્રેસના લોકોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે, તમે તેમનું સ્વાગત કરો છો. માફી માંગ્યા વિના તેમની યાત્રાને પંજાબ કેવી રીતે આવવા દેવામાં આવી. હવે હરસિમરતે નામ લીધા વગર ઓપરેશન બ્લુ સ્ટારનો ઉલ્લેખ કર્યો છે. જે ઓપરેશનમાં સેનાએ ગોલ્ડન ટેમ્પલની અંદર ઘૂસણખોરી કરી હતી. જેનો હેતુ જરનૈલ સિંહ ભિંડરાનવાલેને મારવાનો હતો. સેનાએ તે ઓપરેશન જીત્યું તો હતું, પરંતુ તેને એક મોટી રાજકીય હાર તરીકે જોવામાં આવ્યું. ઘણા શીખોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. તે ઓપરેશનમાં, 83 સૈનિકો માર્યા ગયા, 492 અન્ય લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ અને 1,592ને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

હવે એ ઓપરેશન પછી જ શીખોનો મોટો વર્ગ કોંગ્રેસથી નારાજ થઈ ગયો. 1983ના શીખ રમખાણોએ તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચાડવાનું કામ કર્યું હતું. આ કારણથી હવે રાહુલ જ્યારે પંજાબ પહોંચી ગયા છે, સુવર્ણ મંદિરની મુલાકાતે છે, ત્યારે હરસિમરત કોંગ્રેસના કાર્યકર્તાઓને તે જૂના દિવસો યાદ કરાવી રહી છે. તેમણે જોર દઈને કહ્યું કે, જે પરિવારે હજુ સુધી માફી માંગી નથી, તેમને પંજાબમાં કેવી રીતે પ્રવેશવા દેવામાં આવ્યા.

આ પ્રકરણમાં અકાલી પ્રમુખ સુખબીર સિંહ બાદલે પણ રાહુલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, ગાંધી પરિવારે હંમેશા પંજાબને તોડવાનું કામ કર્યું છે. ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં ટેન્ક મોકલવાનો આદેશ આપ્યો. રાજીવ ગાંધીએ શીખ રમખાણોને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ એકવાર પણ માફી માંગી નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.