મુખ્યમંત્રી પહોંચ્યા ઓપરેશન થિયેટરમાં, પૂરી કરી જવાબદારી, બાળકની કરી સર્જરી

ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા પછી આશરે એક વર્ષ સુધી માણિકા સાહા રાજકીય ગતિવિધિઓથી અલગ પોતાની જૂની જવાબદારી નિભાવતા જોવા મળ્યા હતા. પ્રોફેશનથી ડૉક્ટર એવા ત્રિપુરાના મુખ્યમંત્રીએ બુધવારે 10 વર્ષના એક બાળકની સફળ ડેન્ટલ સર્જરી કરી હતી. સાહાએ ત્રિપુરા મેડિકલ કોલેજમાં એક બાળકની ઓરલ સિસ્ટિક લેસિયન સર્જરી કરી હતી. જણાવી દઈએ કે સાહા ત્રિપુરાન એક જાણીતા મેક્સિલોફેશિયલ સર્જન રહ્યા છે. જૂના વર્ક પ્લેસ ત્રિપુરા મેડિકલ કોલેજમાં જ્યારે સાહો પહોંચ્યા તો તેમના સહયોગીએ તેમનું સ્વાગત કર્યું હતું.

તેમણે આ કોલેજમાં 20થી વધુ વર્ષો સુધી લોકોનો ઈલાજ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પદની ખુરશી પર બેસવા પહેલા સાહા ઓરલ અને મેક્સિલોફેશિયલ વિભાગના પ્રમુખ હતા. મીડિયા સાથે વાતચીત કરતા સાહાએ કહ્યું કે લાંબા સમયના બ્રેક પછી સર્જરી કરી તેમને ઘણી ખુશી મહેસૂસ થઈ રહી છે. સીએમએ કહ્યું કે તેમણે પોતાને ક્યારેય પણ પોતાના પ્રોફેશનથી અલગ મહેસૂસ નથી કર્યા. તેમણે આગળ કહ્યું હતું કે, મેં નક્કી કરી લીધું હતું કે આજ સવારથી કોઈ પણ પ્રશાસનિક તથા રાજકીય કામ નહીં કરું પરંતુ ઓપરેશન થિયેટરમાં પાછો આવીશ. એક ડૉક્ટરના રૂપે દર્દીઓની મદદ કરવા માટે મારા પોતાના પ્રોફેશનમાં પાછા ફરીને મને ઘણું સારું લાગી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સાહાએ જે બાળકની સર્જરી કરી, તે બાળક મોંના ઉપરના ભાગમાં સિસ્ટિક ગ્રોથની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. આ સમસ્યાના કારણે તે બાળકની સાઈનસના હાડકાં પર તેની અસર પડી રહી હતી. રાજ્યમાં આગામી મહિને ચૂંટણી યોજાવાની છે. BJP સહિત બધા રાજકીય દળો જોરશોરથી આવનારી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, સર્જરી કરવા માટે સીએમ આશરે નવ વાગ્યે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને અડધો કલાક પછી હસતા ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા હતા.

તેમની સાથે ડેન્ટલ સર્જરી અને મેક્સિલાફેશિયલ સર્જરી વિભાગના ડૉ. અમિત લાલ ગોસ્વામી, ડૉ. પૂજા દેબનાથ, ડૉ. રુદ્ર પ્રસાદ ચક્રવર્તી પણ હતા. 2016માં તેઓ બીજેપી સાથે જોડાયા તે પહેલા કોંગ્રેસમાં હતા. તે 2020 થી 2022 સુધી ત્રિપુરા BJPના અધ્યક્ષ હતા. મે 2022માં તેઓ મુખ્યમંત્રી બન્યા. ચૂંટણીના એક વર્ષ પહેલા બિપ્લવ દેવએ CM પદેથી રાજનામુ આપી દીધું અને પછી સાહાને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.