પ્લેન બાદ હવે ટ્રેનમાં યાત્રી પર પેશાબ, નશાની હાલતમાં TTEએ મહિલા પર કર્યો પેશાબ

લખનૌમાં અમૃતસરથી કોલકાતા જઈ રહેલી અકાલ તખ્ત એક્સપ્રેસ ટ્રેનમાં હાજર TTE એ એક મહિલાના માથા પર પેશાબ કરી દીધો. મહિલાએ બૂમો પાડતા તેના પતિ તેમજ ત્યાં હાજર અન્ય યાત્રિઓએ TTEને પકડી લીધો. ત્યારબાદ તેને લખનૌ જીઆરપીને સોંપી દેવામાં આવ્યો. TTEને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમજ, રેલ મંત્રાલયે આ મામલામાં તાત્કાલિક એક્શન લીધી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આવી હરકતો દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને આ TTEને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર, રાજેશ પોતાની પત્ની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસના A-1 કોચમાં પ્રવાસ કરી રહ્યો હતો. રાત્રે 12 વાગ્યે તેની પત્ની પોતાની સીટ પર ઊંઘી રહી હતી, ત્યારે જ સહારનપુરમાં પોસ્ટેડ TTE મુન્ના કુમારે તેના માથા પર પેશાબ કરી દીધો. બૂમો પાડવા પર યાત્રિઓ ભેગા થઈ ગયા અને TTEને પકડી લીધો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન યાત્રિઓએ TTEને માર માર્યો. TTE નશામાં ધૂત હતો અને તેણે પેશાબ કરી દીધો હતો. GRP સીઓ સંજીવ નાથ સિંહાએ જણાવ્યું કે, RPF કંટ્રોલ રૂમ અને ટ્વિટરના માધ્યમથી પરમદિવસે મધ્ય રાત્રિમાં સૂચના મળી હતી કે એક દંપત્તિ બિહારથી આવી રહ્યું હતું અને ચારબાગ રેલવે સ્ટેશન પર પહોંચતા પહેલા જ મુન્ના કુમાર નામના TTએ તેના પર લઘુ શંકા કરી દીધી ત્યારબાદ તાત્કાલિક જીઆરપી પોલીસ ચારબાગ સ્ટેશન પર પહોંચી ગઈ.

જીઆરપી સીઓ સંજીવ નાથ સિંહાએ જણાવ્યું કે, પીડિત દંપત્તિઓને અટેન્ડ કર્યા, સાથે જ આરોપી TTને ટ્રેનમાંથી પકડી નીચે ઉતારી દીધો અને ફરિયાદીની ફરિયાદના આધારે સુસંગત ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો. સીઓ સંજીવ નાથ સિંહાએ આગળ જણાવ્યું કે, TT પર ધારા આઈપીસી 352, 354 (A) અને 509 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, આ પહેલા પ્લેનમાં પણ એક યાત્રામાં એક મહિલા પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં એક યાત્રીએ શરાબના નશામાં મહિલા પર પેશાબ કરી દીધો હતો. દિલ્હી પોલીસે આ મામલામાં કેસ દાખલ કરી લીધો હતો. આ ઘટના અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA292 માં બની હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.