એક જ કેસમાં કોર્ટના બે અલગ અલગ આદેશ, CJIને ખબર પડતા જ આદેશ...

આરોપીઓને જામીન આપવા સંબંધિક કેસમાં સુપ્રીમ કોર્ટ પોતે પણ મુશ્કેલીમાં મુકાઇ છે. 16 વર્ષ પહેલા એક ડબલ બેન્ચે જે નિર્ણય આપ્યો હતો, હાલમાં જ એક બીજી ડબલ બેન્ચે તેનાથી ઉલટ નિર્ણય આપ્યો છે. સરકારને પરેશાની આવી તો સોલીસિટર જનરલ તુષાર મેહતાએ આખી વાત CJI ડીવાઇ ચંદ્રચૂળને કરી કરી. CJIએ ભૂલ માનીને કહ્યું કે, તેઓ ત્રણ જજોની બેન્ચમાં પોતે આ કેસને જોશે. હાલ આખરે આપવામાં આવેલા ડબલ બેન્ચના નિર્ણયને CJIએ રોકી દીધો છે. કોર્ટને કહેવામાં આવ્યું છે કે, ડિફોલ્ટ બેલની રિટોં પર વિચાર ન કરો.

ઋતુ છાબડિયા નામના કેન્દ્રના કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે 26મી એપ્રિલના રોજ જે નિર્ણય આપ્યો તે અનુસાર, તપાસ એજન્સી જો કોઇ કેસમાં અધુરી ચાર્જશીટ દાખલ કરે છે તો આરોપીને ડિફોલ્ટ બેલનો અધિકાર જાતે જ મળી જાય છે. ડબલ બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ડિફોલ્ટ બેલ આરોપીનો અધિકાર છે. જો તપાસ એજન્સી તપાસ પુરી કર્યા વગર ચાર્જશીટ દાખલ કરે છે તો આરોપીને એ અધિકાર જાતે જ મળી જશે. બેન્ચનું માનવું છે કે, આરોપીના જામીન રદ કરાવવા માટે એજન્સી ઉતાવળમાં ચાર્જશીટ રજૂ કરી દે છે.

ખાસ વાત છે કે, સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચે 16 વર્ષ પહેલા જે નિર્ણય લીધો હતો તેનાથી 26મી એપ્રિલનો નિર્ણય એકદમ ઉલટો છે. દિનેશ ડાલમિયાના કેસમાં સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચે કહ્યું હતું કે, જે ટ્રાયલ કોર્ટ કેસનું સંજ્ઞાન લે છે તે આરોપીને પોલીસ રિમાન્ડ પર વિવેચના દરમિયાન મોકલી શકે છે. સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચના 16 વર્ષ પહેલા આપવામાં આવેલા નિર્ણય અનુસાર જ ટ્રાયલ કોર્ટ હાલ નિર્ણય લઇ રહી હતી. પણ હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેના બાદથી જ વિવાદ ઉભો થયો છે કે, કયા નિર્ણયને ખરો માનવામાં આવે, કારણ કે, બન્ને જ અલગ અલગ મત બરાબરની બેન્ચોએ આપ્યા છે.

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ CJIને આખી વાત કહી અને તેમણે કહ્યું કે, 26મી એપ્રિલના રોજ આપવામાં આવેલા નિર્ણયથી મુશ્કેલી વધી રહી છે. તેથી આ આદેશને પાછો ખેંચવામાં આવે. CJIએ તેની વાત સાંભળીને ત્રણ જજોની બેન્ચ બનાવી અને કહ્યું કે, તેઓ પોતે આ કેસ પર ધ્યાન આપશે. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચના નિર્ણયને પહેલા 4થી મે સુધી રોકવામાં આવ્યો. પછી સમય મર્યાદા વધારીને 12મી મે સુધી કરવામાં આવી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.