સ્મશાનમાં અડધા સળગેલા શબનું માંસ ખાઇ રહ્યા હતા 2 લોકો, NHRCએ માગ્યો રિપોર્ટ

ઓરિસ્સાના મયુરભંજમાં એક સ્મશાનમાં બે વ્યક્તિઓ દ્વારા માણસનું માંસ ખાવાની ઘટના સામે આવી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ મયુરભંજના કલેક્ટર પાસે 4 દિવસની અંદર રિપોર્ટ માગ્યો છે. 12 જુલાઇના રોજ બાનશાહી ગામમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે અડધા સળગેલા શબના માંસ ખાઈ રહ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ તેમને પકડીને બંધ કરી દીધા હતા. જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બંનેને પોલીસ સ્ટેશન લઈને જતી રહી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાનશાહી ગામની જ રહેવાસી 25 વર્ષીય મધુસ્મિતા બીમાર થઈ ગઈ હતી. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ જીવ ન બચાવી શકાયો. ત્યારબાદ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે શબનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તો બંને આરોપી અડધા સળગેલા શવનું માંસ લઈ આવ્યા અને ખાવા લાગ્યા. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓના નામ સુંદર મોહન સિંહ (ઉંમર 58 વર્ષ) અને નરેન્દ્ર સિંહ (ઉંમર 25 વર્ષ) છે.

માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ રાધાકાંત ત્રિપાઠીએ કેસ ફાઇલ કર્યો તો આયોગે 20 જુલાઇના રોજ નિર્દેશ જાહેર કર્યો. વકીલે કહ્યું કે, માણસનું માંસ ખાઈને મૃત્યુ ઉપરાંત મળતા અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વરસાદના કારણે શબ આખું સળગી શક્યું નહોતું, બંને જ આરોપી શબમાંથી એક ટુકડો લઈને આવ્યા હતા અને તેને ખાધો. આ ઘટના બાદ લોકોમાં ખૂબ રોષ છે અને તેઓ આરોપીઓ પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. રાધાકાંત ત્રિપાઠીએ કહ્યું કે, પોલીસે ડિશાના વિચ હંટિંગ એક્ટ 2013ની કલમ હેઠળ FIR નોંધી નથી. મયુરભંજમાં કાળો જાદુ અને સ્મશાનમાં સાધના જેવી વસ્તુ કરવામાં આવી રહી છે.

આ અગાઉ આ ઘટના પર IIC સંજય કુમાર પરિદાએ કહ્યું હતું કે, ગ્રામજનોની ફરિયાદ પર 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આરોપ છે કે, બંને માણસનું માંસ ખાઈ રહ્યા હતા. ઘટનાને અંજામ આપવા દરમિયાન બંને નશાની હાલતમાં હતા. તેમની વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 297 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જો કે, તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું માંસ મળ્યું નહોતું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, જેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.