શું ગૌમૂત્ર છાંટવાથી દેશને આઝાદી મળી હતી? ઉદ્ધવનો શિંદે કેમ્પ અને BJP પર પ્રહાર

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રત્નાગિરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્યમંત્રી એકનાથ શિંદે કેમ્પ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, શું ગૌમૂત્ર છાંટવાથી આપણાં દેશને આઝાદી મળી હતી? શું એમ થયું કે ગૌમૂત્ર છાંટવામાં આવ્યું અને આપણને આઝાદી મળી? એમ નહોતું. સ્વતંત્ર સેનાનીઓએ બલિદાન આપ્યું, ત્યારે આપણને આઝાદી મળી. સરદાર પટેલે RSS પર પ્રતિબંધ લગાવ્યો, તેમણે સરદાર પટેલનું નામ ચોર્યું.

એ જ પ્રકારે તેમણે સુભાષ ચંદ્ર બોઝને ચોરી લીધા અને બાળાસાહેબ ઠાકરે સાથે પણ એવું જ કર્યું. હું તેમને પડકાર આપું છું કે તેઓ મોદીના નામ પર વોટ માગે, ન કે શિવસેના અને બાળાસાહેબ ઠાકરેની ફોટોના આધાર પર. એક જનસભાને સંબોધિત કરવા દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના માટે સમર્થન માગ્યું. તેમણે કહ્યું કે, આજે મારી પાસે કશું જ નથી, પરંતુ તમે લોકો છો. એ મારા પૂર્વજોના મારા પર આશીર્વાદ છે. મને તમારા સાથની જરૂરિયાત છે. ગદ્દારોને કહેવા માગું છું કે તમે નામ ચોરી શકો છો, ચિહ્ન ચોરી શકો છો, પરંતુ શિવસેનાને નહીં ચોરી શકો.

તેમણે આગળ કહ્યું કે, લોકોએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે લોકો અમારા 'ધનુષ અને બાણ' (પાર્ટી ચિહ્ન)ને ચોરીને વોટ માગવા આવે, તેઓ ચોર છે. આપણે નક્કી કરવાનું છે કે જેમનો સ્વતંત્રતા સંગ્રામ સાથે કોઇ સંબંધ નથી અને પશુ પ્રવૃત્તિ છે તેમને વર્ષ 2024માં દફન કરી દેવા જોઇએ. આપણે શપથ લેવાના છે કે, ભારત માતાને ગુલામીની પકડમાં નહીં આવવા દઇએ. જો આપણે એમ નહીં કરીએ તો વર્ષ 2024ની ચૂંટણી છેલ્લી હશે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર પણ નિશાનો સાધ્યો.

તેમણે કહ્યું કે, જો તમારી આંખોમાં મોતિયાબિંદ નથી થયા તો આવો અને જોઇ લો. આ જ અસલી શિવસેના છે. આ ચૂંટણી પંચ નહીં, ગુલામ છે. શિવસેનાની રચના ચૂંટણી પંચના પિતાએ નહીં, મારા પિતાએ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ચૂંટણી પંચનો નિર્ણય અમને મંજૂર નથી. અમે સુપ્રીમ કોર્ટ ગયા. તેઓ કહેતા હતા કે હું કોરોનામાં ઘરથી બહાર નીકળ્યો નથી. હું કેવી રીતે નીકળતો, મને કોરોના હતો. પરંતુ મેં ઘર બેઠા જે કર્યું, તેઓ ઘર ઘર જઇને કરી શકતા નથી. મહારાષ્ટ્ર ડૂબતું જઇ રહ્યું છે, પરંતુ તેઓ પોતાનો પ્રચાર કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના ભાષણ પર પલટવાર કરતા કહ્યું, ‘એ જ શબ્દ, એજ વાક્ય, એ જ નાટક (કમેન્ટ), કંઇ પણ નવું આ સભામાં સાંભળવા ન મળ્યું. સત્ય એ છે કે તેમની નાક નીચેથી 40 ધારાસભ્ય નીકળી ગયા. તેમનો ગુસ્સો અને નિરાશા છે. એ સિવાય તેમના ભાષણમાં હતાશા છે. એ જ સાંભળવા મળ્યું. એ સિવાય ભાષણમાં કંઇ નહોતું અને એવી હતાશા અને ટોન કસનારા ભાષણ પર કઇ બોલવાનું હું જરૂરી સમજતો નથી.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.