જોશીમઠ આપત્તિ પર ઉમા ભારતીએ કહ્યું- પાવર માફિયા દેશને દૈત્યની જેમ ગળી રહ્યા છે

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ જોશીમઠ આપત્તિ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાવર માફિયા જોશીમઠ આપત્તિ માટે જવાબદાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ઉત્તરાખંડના પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તમામ પાવર પ્રોજેક્ટને તાત્કાલિક રદ્દ કરી દેવા જોઈએ. ઉમા ભારતીએ કહ્યું, આ દેશમાં ત્રણ મોટા માફિયા છે. ખનન માફિયા, દારૂ માફિયા અને પાવર માફિયા. આ ત્રણેય દેશને દૈત્યની જેમ ગળી રહ્યા છે. પર્યાવરણવિદોને મેનેજ કરીને આવા પ્રોજેક્ટોની સ્વીકૃતિ લઈ લેવામાં આવે છે. જોશીમઠની ઘટના તેનું જ પરિણામ છે. ઉત્તરાખંડના તમામ પાવર પ્રોજેક્ટને તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ. ગંગા અને તેની સહાયક નદીઓ પર કોઈપણ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવી ના જોઈએ.

ઉમા ભારતી નમામિ ગંગે પ્રોજેક્ટના મંત્રી રહી ચુક્યા છે. ઉમા ભારતીએ કહ્યું કે, જ્યારે તેઓ કેન્દ્રીય મંત્રી હતા, તો તેમણે કહ્યું હતું કે, ગંગા નદી અને તેની સહાયક નદીઓના કિનારાઓ પર પાવર પ્રોજેક્ટ ના લગાવવા જોઈએ. પાવર પ્રોજેક્ટ લગાવવા જ હોય તો 5થી 10 મેગાવોટની નાની પરિયોજનાઓ શરૂ કરો. તેનાથી સ્થાનિક લોકોને રોજગાર પણ મળશે. પરંતુ, અહીં અંધાધુંધ પરિયોજનાઓ શરૂ કરી દેવામાં આવી. જોશીમઠમાં મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. જમીનમાં તિરાડો આવવાના કારણે 600 કરતા વધુ ઘર તૂટી પડવાના આરે છે. ડેન્જર ઝોનમાં આવનારા આ તમામ ઘરોના લોકોને ત્યાંથી નીકળવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, જો વહેલીતકે તેના પર કંઈ કરવામાં ના આવ્યું તો મોટી તારાજી સર્જાઈ શકે છે.

જોશીમઠમાં જમીન ધસવા પર પીએમઓની બેઠકમાં વડાપ્રધાનના પ્રમુખ સચિવે સ્થિતિની સમિક્ષા કરી. તેમા ઉત્તરાખંડના મુખ્ય સચિવે જોશીમઠ મામલા પર પીએમઓને જાણકારી આપી. જણાવ્યું કે, જમીન ધસવાના કારણે પ્રભાવિત પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોશીમઠ મામલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતિત છે. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

બેઠકમાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ અને વિશેષજ્ઞ લઘુ, મધ્યમ અને દીર્ઘકાલિન યોજનાઓ તૈયાર કરવામાં રાજ્ય સરકારની મદદ કરી રહ્યા છે. NDRFની એક ટીમ અને SDRFની ચાર ટીમો પહેલા જ જોશીમઠ પહોંચી ચુકી છે. સચિવ સીમા પ્રબંધન અને એનડીએમએના સભ્ય 9 જાન્યુઆરીએ ઉત્તરાખંડનો પ્રવાસ કરશે અને સ્થિતિ વિશે માહિતી મેળવશે. તેમા રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન પ્રાધિકરણ, રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન સંસ્થા, ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ, IIT રુડકી, વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વિશેષજ્ઞોની ટીમ પરિસ્થિતિ અંગે માહિતી મેળવીને રિપોર્ટ રજૂ કરશે.

રાજ્ય આપત્તિ પ્રબંધન પ્રાધિકણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યારસુધી 603 મકાનોમાં તડ પડી ચુકી છે. તેનાથી પ્રભાવિત 68 પરિવારોને અત્યારસુધી કાઢવામાં આવ્યા છે. જોકે, સચિવ આપત્તિ પ્રબંધન વિભાગે જણાવ્યું કે, 88 પરિવારોને સુરક્ષિત હટાવવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.