રામ-હનુમાન પર ભાજપનો કૉપીરાઇટ નથી, એ ભ્રમ ન પાળવો કે આખો હિન્દુ સમાજ BJPનો...

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, ભગવાન રામ અને હનુમાન પર તેમની પાર્ટીઓનું કૉપી રાઇટ નથી. તેમણે ભાજપના કાર્યકર્તાઓએ ભ્રમ અને અહંકાર ન પાળવાની સલાહ આપતા કહ્યું કે, એમ કર્યું તો વિનાશ થઇ જશે, ઉમા ભારતીયે લોધી સમાજને પોતાની મરજીથી વોટ આપવાને લઇને વાતને આગળ વધારી અને કહ્યું કે, એ ભ્રમ ન પાળવો જોઇએ કે આખો હિન્દુ સમાજ ભાજપનો વોટર હશે. લોકતંત્રમાં કોઇ જાતિ, ધર્મ કે વ્યક્તિને બંધક નહીં બનાવી શકાય.

લોહી સમાજને પોતાની મરજીથી વોટ આપવાની અલાહ આપવાને લઇને જ્યારે ઉમા ભારતીને પત્રકારોએ સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, આપણે ક્યારેય ભ્રમ ન પાળીએ કે આખો હિન્દુ સમાજ અમારો વોટર હશે. નહીં થઇ શકે. તેમની પોતાની આસ્થા હશે. શું આખો હિન્દુ સમાજ અમારો વોટર છે? ભલે અમે રામ મંદિરનું નિર્માણ કર્યું હોય. હિમાચલ પ્રદેશમાં અમે જીતી ન શક્યા તો તેઓ હિન્દુ નહોતા. જેમણે અમને વોટ આપ્યા. તમે કોઇ ધર્મ, કોઇ જાતિ, કોઇ વોટ, કોઇ વ્યક્તિને બંધક નહીં બનાવી શકો, જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થા છે. આ જ વાત મોદીજીએ પણ કહી છે.’

મધ્ય પ્રદેશમાં છિંદવાડા જિલ્લાના સિમરિયામાં કામલનાથ દ્વારા બનાવવામાં આવેલા હનુમાન મંદિર પર પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીઅ કહ્યું હતું કે, ભગવાન રામ અને હનુમાનની ભક્તિ પર ભાજપનું કૉપી રાઇટ નથી. ભગવાન રામ અને હનુમાન ભાજપના કાર્યકર્તા નથી, જ્યારે ભાજપનું અસ્તિત્વ નહોતું, જ્યારે મુઘલ શાસન હતું, અંગ્રેજોનું શાસન હતું, ત્યારે પણ ભગવાન રામ અને હનુમાન હતા. જો અમે ભાજપવાળાએ એ ભ્રમ પાળી લીધો છે, જ્યારે અમે આંખો ખોલી, ત્યારે સૂરજ-ચાંદ નીકળી આવ્યા, તો પછી આ અમારા માટે વિનાશકારી સાબિત થશે.

ઉમા ભારતીએ સરકારની વ્યવસ્થાને આડે હાથ લેતા કહ્યું કે, ગામમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે. સરકાર અને પ્રાઇવેટ વ્યવસ્થામાં ખૂબ મોટું અંતર છે. હું એમ નહીં કહું કે, સરકારી જેવી વ્યવસ્થા કરી દો, પછી તો દેશ જ ખરાબ સ્થિતિમાં થઇ જશે પ્રાઇવેટ જેવી સરકારી વ્યવસ્થા કરી દેવી જોઇએ. ભોપાલમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કર્ણાટકના શિવમોગામાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે પોતાના ઘરમાં હથિયાર રાખો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.