ભારતમાં 15 વર્ષમાં 41 કરોડ લોકોની ગરીબી દૂર થઇ, UNએ પણ કર્યા વખાણ

ભારતે જેટલી ઝડપથી ગરીબી હટાવવામાં સફળતા મેળવી છે, તેને જોઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) પણ આશ્ચર્યચકિત છે. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે દુનિયાના સૌથી વધુ આબાદી ધરાવતા દેશ દ્વારા માનવ વિકાસ માપદંડોમાં ઉલ્લેખનીય સુધાર પર પ્રકાશ પાડતા કહ્યું કે, 2005/2006 થી 2019/2021 સુધી માત્ર 15 વર્ષોની અવધિની અંદર ભારતમાં કુલ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 110 દેશોના અનુમાન સાથે વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંકનો નવીનતમ અપડેટ આજે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓક્સફોર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો.

ગરીબીને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પરિભાષાની વાત કરીએ તો અહીં ગરીબીનો તાત્પર્ય સ્થાયી આજીવિકા સુનિશ્ચિત કરવા માટે આવક અને ઉત્પાદક સંશાધનોની અછત કરતા ઘણી વધુ છે. પ્રતિદિન 1.90 અમેરિકી ડૉલર કરતા ઓછી આવકમાં જીવન વીતાવતા લોકોને સામાન્યરીતે ગરીબ માનવામાં આવે છે. ભારત ઉપરાંત, ચીને 2010-2014ની વચ્ચે 69 મિલિયન અને ઇન્ડોનેશિયાએ 2012-2017ની વચ્ચે 8 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાડોશી બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં 2015-2019 અને 2012-2018 દરમિયાન ક્રમશઃ 19 મિલિયન અને 7 મિલિયન વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવ્યા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ગરીબીમાં ઘટાડો લાવવો સંભવ છે. ગરીબીમાં રહેનારાઓમાં 18 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોની સંખ્યા અડધી (566 મિલિયન) છે. બાળકોમાં ગરીબી દર 27.7 ટકા છે જ્યારે, વયસ્કોમાં તે દર 13.4 ટકા છે.

રિપોર્ટ અનુસાર, 81 દેશો પર કેન્દ્રિત 2000થી 2022 સુધીના પરિણામોના વિશ્લેષણ પરથી જાણકારી મળી કે, 25 દેશોએ 15 વર્ષોની અંદર સફળતાપૂર્વક પોતાના વૈશ્વિક એમપીઆઈ મૂલ્યોને અડધા કરી દીધા. ઘણા દેશોએ ચારથી 12 વર્ષોમાં જ પોતાનો એમપીઆઈ અડધો કરી દીધો છે. એ દેશોમાં ભારત, કંબોડિયા, ચીન, કાંગો, હોંડુરાસ, ઇન્ડોનેશિયા, મોરક્કો, સર્બિયા અને વિયેતનામ સામેલ છે, તેમા ઝડપથી પ્રગતિ કરતા કહેવામાં આવ્યું છે. કંબોડિયા, પેરુ અને નાઇઝીરિયામાં ગરીબીના સ્તરમાં હાલમાં જ ઉલ્લેખનીય ઘટાડો જોવા મળ્યો છે. કંબોડિયા માટે, રિપોર્ટ અનુસાર તેમાંથી સૌથી ઉત્સાહજનક મામલો ગરીબીની ઘટના 36.7 ટકાથી ઘટીને 16.6 ટકા થઈ ગઈ છે અને ગરીબ લોકોની સંખ્યા 7.5 વર્ષોની અંદર અડધી થઇને 5.6 મિલિયનથી 2.8 મિલિયન થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.