1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો ગંગા નદી પરનો નિર્માણાધીન પુલ પડ્યો, જુઓ વીડિયો

બિહારના ભાગલપુરમાં રવિવારે નિર્માણાધીન પુલ પડી ગયો. આ અકસ્માતનો ડરમણો વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક જાણકારી મુજબ, અકસ્માતમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ પુલ પડી જવાની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જો કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે અને જવાબદાર લોકોની ઓળખ કરવા માટે કહ્યું છે. ખગડિયા-અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહેલો પુલ તૂટવાનો વીડિયો સામે આવ્યો છે.

જોત જોતમાં આખો પુલ ગંગા નદીમાં સમાઈ ગયો. હેરાનીની વાત એ છે કે 2 વર્ષ અગાઉ પણ આ પુલનો એક હિસ્સો પડી ગયો હતો. 4 વર્ષ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ 1717 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ નિર્માણાધીન પુલના કેટલાક હિસ્સાને એપ્રિલમાં તોફાનના કારણે પણ નુકસાન પહોંચ્યું હતું. ખગડિયા-અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે ગંગા નદી પર બનેલી રહેલા મહાસેતુ વચ્ચેનો હિસ્સો પડી ગયો. પુલનો ઉપરનો ભાગ નદીમાં સમાઈ ગયો.

વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, નિર્માણાધીન પુલનું સુપર સ્ટ્રક્ચર પડ્યું છે. જો કે, અત્યાર સુધી પુલ પડી જવાનું સપષ્ટ કારણ જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે પુલનું પાયા ઉપર બનેલું સ્ટ્રક્ચર પડી ગયું. ભાગલપુરના સુલ્તાનગંજમાં બની રહેલો આ સેતુ ખગડિયા અને ભાગલપુરને એક-બીજા સાથે જોડશે. DDC ભાગલપુર કુમાર અનુરાગે કહ્યું કે, નિર્માણાધીન પુલ પડવાની ઘટના સવારે લગભગ 6:00 વાગ્યે થઈ. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

સ્થાનિક પ્રશાસ ઘટનાસ્થળ પર છે. અમે પુલનું નિર્માણ કરી રહેલી સંસ્થા પાસેથી રિપોર્ટ માગ્યો છે. JDUના ધારાસભ્ય લલિત મંડલે કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે લોકો આશા રાખી રહ્યા હતા કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આ પુલનું ઉદ્દઘાટન થઈ જશે, પરંતુ આ પ્રકારના અકસ્માત થઈ રહ્યા છે એ તપાસનો વિષય છે. દોષીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી તેની તપાસ થઈ જતી નથી ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.

નેતા પ્રતિપક્ષ વિજય કુમારે કહ્યું કે, બિહાર સરકારના ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરેન્સનું વધુ એક નવું રૂપ સામે આવ્યું છે. વર્ષ 2014માં 600-700 કરોડના ખર્ચે બનનારો પુલ લગભગ 1600 કરોડના ખર્ચ સુધી પહોંચી ગયો છે. કમિશનખોરીના ચક્કરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૈસા વસૂલી કરવામાં આવી રહી છે. તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. બિહારની જનતા તેને ક્યારેય માફ નહીં કરે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.