કુનો નેશનલ પાર્ક નજીક બેરોજગારી, ગરીબી અને ભૂખમરો, કુપોષણમાં નંબર-1

નામિબિયાથી લાવવામાં આવેલા અને કુનો નેશનલ પાર્કમાં  રાખવામાં આવેલા ચિત્તાઓની તસવીરો જોઈને દરેકને આનંદ થયો. સરકારે એવો પણ દાવો કર્યો હતો કે ચિત્તાના આગમનથી કુનો નેશનલ પાર્કની નજીકના ગામમાં રહેતા લોકોનું જીવન બદલાઈ જશે, પરંતુ અત્યારે નેશનલ પાર્કની આસપાસના ગામો અત્યંત ગરીબી, ગંદકી, ખરાબ રસ્તા, પાયાની સુવિધાઓના અભાવથી પીડાય છે અને કેટલાક ગામોમાં કુપોષિત બાળકો પણ છે. આવી સ્થિતિમાં, ગામના લોકોનું કહેવું છે કે ચિત્તાના આગમનને કારણે તેમના જીવનમાં કદાચ જ પરિવર્તન આવે.

 આજ તકના એક ગ્રાઉન્ડ રિપોર્ટમાં કહેવાયું છે કે નેશનલ પાર્કની નજીક આવેલા ગામડાઓમાં લોકો પાસે રોજગારીનો અભાવ છે. નેશનલ પાર્કથી 10 કિ,મી દુર આવેલા મોનાવર ગરીબી, બેરોજગારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકો પરેશાન છે. ગામમાં કાચા મકાનો છે.

ગામ લોકોએ કહ્યુ કે, અહીં આસપાસ રોજગારીનું કોઇ સાધન નથી એટલે મજૂરી કરવા બહાર જવું પડે છે. ગામના લોકોએ કહ્યું છે કે સરકારને અમારી માંગ છે કે, હવે ચિત્તાને લાવ્યા છો તો કામ ધંધો મળે એવું પણ કઇંક કરો. અહીં રહેતા લોકોની હાલત એવી છે કે ઘણી વખતે રાત્રે ભૂખ્યા સુઇ જવું પડે છે.

ગામની અંદર જઈને જોવામાં આવ્યું કે અહીં રહેતી સહરિયા જાતિ અત્યંત ગરીબીમાં જીવે છે. એક બાળક ભૂખથી રડતું હતું,  એક યુવકે કહ્યું કે ગામમાં લોકોની હાલત દયનીય છે. તેણે કહ્યું કે ગામમાં ભૂખમરો એટલે કે બાળકોમાં કુપોષણ ઓછું થયું છે પરંતુ સંપૂર્ણપણે નાબૂદ થયું નથી. પાડોશમાં રહેતું એક બાળક કુપોષિત છે, જેને લઈને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા છે.

તાજેતરમાં જ મધ્યપ્રદેશ વિધાનસભામાં સરકારે જણાવ્યું હતું કે શ્યોપુર જિલ્લામાં 21 હજારથી વધુ બાળકો કુપોષિત છે. કુપોષણના મામલામાં સમગ્ર મધ્યપ્રદેશમાં શ્યોપુર પ્રથમ નંબર પર છે. કદાચ આ જ કારણ છે કે ગામમાં રહેતા લોકોને એવું લાગે છે કે ગામમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવી એ ચિત્તાકરતાં પણ વધુ જરૂરી છે. ગામના યુવાનો કહે છે કે ચિત્તાના આગમનથી તેમના જીવનમાં બહુ ફરક નહીં પડે.

વિસ્તારના ગઢી મોનાવર તરફ જતો આ રસ્તો એટલો ખરાબ છે કે વાહનોની સાથે હાડકા પણ તુટી શકે. ગામ તરફ જતા આ રસ્તાનું અંતર કુનોના રોડથી માત્ર 1 કિલોમીટરનું છે, પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જરૂર પડ્યે એમ્બ્યુલન્સ અહીં પહોંચી શકતી નથી.  ગામના લોકોનું કહેવું છે કે,ઘણી વખત સગર્ભા સ્ત્રીઓને આ રસ્તા પરથી બાઇક પર કે ખાટલા પર લઈ જવી પડે છે કારણ કે અહીં એમ્બુયલન્સ આવી શકતી નથી.

આ માત્ર એક ગામડાનું ચિત્ર નથી.કુનો નેશનલ પાર્કથી વિસ્થાપિત સહરિયા આદિજાતિના અન્ય ગામ પરોંદરમાં, લોકો અરાજકતા વચ્ચે જીવવા માટે મજબૂર છે. હવે સરકારનો દાવો છે કે ચિત્તાઓના આગમનને કારણે આ વિસ્તારમાં બદલાવ આવશે. પરંતુ સત્ય એ પણ છે કે આ પરિવર્તન આવતા ઘણો સમય લાગશે. હાલમાં, કુનો નેશનલ પાર્કની આસપાસ આવેલા ડઝનબંધ ગામોમાં લોકો બદતર હાલતમાં જીવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.