ચીનને ભારતની તાકાત સારી રીતે ખબર છે, 2047 સુધીમાં ભારત વિશ્વની ટોપ ઈકોનોમી બનશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચેલા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક કંગાળી પર કહ્યું કે, પછી પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર (PoK) હોય કે પાકિસ્તાન હોય ત્યાંની જનતા સુખી રહે, અમે હંમેશાં એ જ કામના કરીશું કેમ કે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેણે ભારતની સીમામાં રહેતા લોકોને પોતાના જ પરિવારના સભ્ય માન્યા છે, પરંતુ આખા વિશ્વની પટલ પર રહેનારા લોકોને પરિવારના સભ્ય માનતા વસુધૈવ કુટુંબકમ એ સંદેશ આપનારો ભારત છે.

તેની સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કામના કરી કે કરવામાં PoK હોય કે પાકિસ્તાન હોય કોઇ સંકટમાં ન રહે, બધા સુખી થાય. કોઇ ભૂખથી, તરસથી દમ તોડી ન દે, એવી સ્થિતિ ઉત્પન્ન ન થઇ શકે એ જ અમે કામના કરીશું. તેની સાથે જ ચીનના વારંવાર ભારતને આંખ દેખાડવાના સવાલ પર તેમણે કહ્યું કે, તેને ભારતની તાકાત સારી રીતે ખબર છે. મારે આ સંબંધમાં કોઇ ટિપ્પણી કરવાની જરૂરિયાત નથી. ભારત આજે દુનિયાની ટોપ-5 અર્થવ્યવસ્થામાં પહોંચી ચૂક્યું છે.

અર્થવ્યવસ્થાના જાણકાર એ માનવા લાગ્યા છે કે વર્ષ 2027 સુધી ભારત દુનિયાના ટોપ-3 અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશ આગળ વધી રહ્યો છે, વર્ષ 2047 સુધીમાં ભારત વિશ્વની ટોપ અર્થવ્યવસ્થા બની જશે. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહે પ્રયાગરાજમાં પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર દિવંગત કેશરી નાથ ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, પંડિત કેશરી ત્રિપાઠીને હું મોટા ભાઇના રૂપમાં જોતો હતો. તેમની યોગ્યતા અને પ્રતિભા ક્ષમાતાથી આખો દેશ સારી રીતે પરિચિત છે અને તેમના નિધનથી આખા દેશમાં અપૂર્ણિય ક્ષતિ થઇ છે.

રાજનાથ સિંહ શુક્રવારે પૂર્વ રાજ્યપાલ કેશરીનાથના બેસણામાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. રાજનાથ સિંહ લગભગ એક કલાક સુધી લોહિયા માર્ગ સ્થિતિ પૂર્વ રાજ્યપાલના આવાસ પર રહ્યા હતા. તેમણે કેશરીનાથન ફોટો પર પુષ્પ અર્પિત કર્યા બાદ તેમના પુત્ર નીરજ ત્રિપાઠી, પુત્ર વધુ કવિતા યાદવ ત્રિપાઠીને મળીને તેમનું મનોબળ વધાર્યું. રાજનાથ સિંહે કેશરીનાથ ત્રિપાઠી સાથે વિતાવેલી પોતાની પળોને યાદ કરી. સેનાના વિમાનથી પ્રયાગરાજ પહોંચ્યા હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.