નિર્મલા સીતારમણ AIIMSથી થયા ડિસ્ચાર્જ,તબિયતમાં આવ્યો સુધાર,4 દિવસ સુધી હતા એડમિટ

ગત દિવસોમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેમને દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં એડમિટ કરાવવામાં આવ્યા હતા. આજે એટલે કે ગુરુવારે નિર્મલા સીતારમણને AIIMSમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણ કુલ 4 દિવસ સુધી AIIMSમાં દાખલ રહ્યા હતા. નિર્મલા સીતારમણના અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ, આજે નિર્મલા સીતારમણને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ગયા સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ નિર્મલા સીતારમણને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વાયરલ ફીવર અને પેટમાં દુઃખાવો થવાની ફરિયાદ હતી. 63 વર્ષીય કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ AIIMSના એક પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુલ 4 દિવસ સુધી તેમની સારવાર ચાલી. આજે તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણની સારવાર AIIMSના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સે કરી. તેમને સોમવારે લગભગ બપોરે 12 વાગ્યે અહીં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં સતત સુધાર આવી રહ્યો હતો. આજે તેમને AIIMSથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવાના છે. આ બજેટને લઇને ઘણા દિવસોથી ચર્ચા થઇ રહી છે. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીના કારણે તે છેલ્લું ફૂલ બજેટ હશે જે નિર્મલા સીતારમણ રજૂ કરશે. 63 વર્ષીય નાણા મંત્રી AIIMSમાં એડમિટ થવા અગાઉ ચેન્નાઇની મુલાકાતે હતા. તેમણે ચેન્નાઇમાં MGR મેડિકલ યુનિવર્સિટીના એક ખાસ સમારોહમાં ભાગ લીધો હતો. ત્યારબાદ રવિવારે નિર્મલા સીતારમણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસર પર દિલ્હી પાછા આવતા રહ્યા હતા.

નિર્મલા સીતારમણે સમાધિ સ્થળ પર પહોંચીને આટલી બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરવા દરમિયાન 1 ફેબ્રુઆરી 2020ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ એટલું લાંબુ હતું કે, તેઓ તેમની તબિયત બગાડવાના કારણે આખું બજેટ વાંચી શક્યા નહોતા. સંસદમાં પોણા ત્રણ કલાક (160 મિનિટ) સતત ભાષણ આપ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થઇ ગયું હતું, જેના કારણે તેઓ પોતાનું આખું બજેટ પણ વાંચી શક્યા નહોતા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.