કંઝાવાલા ઘટના અંગે ગૃહ મંત્રી અમિત શાહનો નિર્દેશ, તાત્કાલિક રિપોર્ટ સોંપે પોલીસ

દિલ્હીના કંઝાવાલામાં છોકરીના મોતે આખા દેશની અંદરથી હચમચાવી મૂક્યો છે. જે પ્રકારે એક ગાડીએ છોકરીને ઘણા કિલોમીટર સુધી રોડ પર ઘસડી લઇ ગઇ, દરેક સ્તબ્ધ રહી ગયું છે. હવે આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તે આ કેસની એક વિસ્તૃત રિપોર્ટ તેમને તાત્કાલિક સોંપે. તેમની તરફથી વરિષ્ઠ અધિકારી શાલિની સિંહને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જલદી રિપોર્ટ તૈયાર કરીને ઉચિત કાર્યવાહી કરે. દિલ્હીના કંઝાવાલામાં રવિવારે સવારે એક છોકરીનું નગ્ન અવસ્થામાં શબ મળી આવ્યું હતું.

બોડીના ઘણા હિસ્સા ક્ષત-વિક્ષત થઇ ગયા હતા. પોલીસે દાવો કર્યો છે કે, કાર સવાર યુવકોએ એક છોકરીને ટક્કર મારી, પછી રોડ પર 10-12 કિલોમીટર સુધી ધસડી, જેથી તેનું મોત થઇ ગયું. દિલ્હી પોલીસે શબ મળ્યા બાદ તપાસ કરી તો ઘટનાસ્થળથી થોડે દૂર પર પોલીસને એક સ્કૂટી પડેલી મળી, જે દુર્ઘટનાગ્રસ્ત હતી. સ્કૂટીના નંબરના આધાર પર યુવતી બાબતે જાણકારી મેળવવામાં આવી. હવે આ મામલે પોલીસે બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ ઘણા બિંદુઓ પર અત્યારે પણ તપાસ ચાલી રહી છે.

કેસની સંવેદનશીલતા જોતા ગૃહ મંત્રી અમિત શાહ પોતે આ કેસને લઇને સક્રિય થઇ ગયા છે. તેમણે પોલીસ પાસે એક વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. મોટી વાત એ છે કે અમિત શાહે ટૂંકમાં કહ્યું કે, પોલીસ તાત્કાલિક આ ઘટનાની આખી જાણકારી આપે. આમ કેસમાં પોલીસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એક નિવેદન જાહેર કર્યું છે. એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ આરોપી પકડાયા છે. તેમાં દીપક ખન્ના કારને ડ્રાઇવ કરી રહ્યો હતો. તે ગ્રામીણ સેવામાં કાર્યરત છે. એ સિવાય કારમાં અમિત ખન્ના, કૃષ્ણ, મનોજ અને મિથુન બેઠા હતા.

CCTV ફૂટેજ અને ડિજિટલ પુરાવાની ટાઇમલાઇન બનાવીશું. તેના આધાર પર જાણકારી મળવશે કે આરોપી ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જઇ રહ્યા હતા. ધસડવા બાબતે પોલીસે જણાવ્યું કે, બોડી કારમાં ફસાઇ ગઇ હતી. 10-12 કિલોમીટર સુધી ધસડી. ક્યાંક ટર્નિંગ દરમિયાન બોડી રસ્તા પર પડી. કાલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જશે. એ પણ શેર કરીશું. હવે આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટી તરફથી LG નિવાસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. રાજધાનીને ક્રાઇમ સીટી જાહેર કરી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.