બળદની નીકળી જાન અને ગાયને લગાવી મહેંદી-પીઠી, રીતિ-રિવાજ અનુસાર કરાવ્યા લગ્ન

રાજસ્થાનના શાહી મહેલોમાં ફિલ્મી સ્ટાર્સના લગ્ન વિશે તો તમે અવારનવાર સાંભળતા જ હશો. જોકે, રાજસ્થાનમાં એક એવા અનોખા લગ્ન થયા છે, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યુ નહીં હશે અને જોયુ પણ નહીં હશે. અહીં એક બળદ અને એક ગાયને લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવ્યા. આ અજીબ ઘટના સીકર જિલ્લાના ફતેહપુર શેખાવાટીમાં સામે આવી છે. ગાય અને બળદના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા, જેમા જાન પણ આવી, મંત્રોચ્ચાર પણ થયા અને પાંચ પંડિતોના સાનિધ્યમાં બંનેના સાત ફેરા પણ કરાવવામાં આવ્યા.

આ લગ્નને સંપન્ન કરાવવા માટે ગૌ વૃષભ યજ્ઞ ફતેહપુરના પંડિત અમિત પુજારી અને પાંચ અન્ય પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. કળશ અને વેદીઓ બનાવવામાં આવી. યજ્ઞ હવન થયો, જેમા પાંજરાપોળ ગૌશાળાના સભ્યો અને દેવડા પરિવારે આહૂતિઓ આપી હતી.

શહેરના મણ્ડાવા રોડ સ્થિત ફતેહપુર રાજ પાંજરાપોળ સોસાયટીના 1154 ગૌવંશોની ગૌશાળામાં આ બંને ગાયો અને બે નંદીઓના અનોખા લગ્ન કરાવવામાં આવ્યા. જેમા વરરાજા બળદ થારપારકર નસ્લનો છે, જેને રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના સૂરતગઢથી લાવવામાં આવ્યો છે. જેની મદદથી ફતેહપુરની ગૌશાળાની ગાયોની નસ્લમાં સુધારો થશે. લગ્ન સંપૂર્ણરીતે એ જ રીતિ-રિવાજોના આધાર પર સંપન્ન કરાવવામાં આવ્યા જે રીતે સામાન્ય લગ્ન થાય છે. મુખ્ય યજમાન દુર્ગા પ્રસાદ અને વિજયકુમાર દેવડાના પરિવારજનોએ ધાર્મિક વિધિ-વિધાન અને લગ્નના રીતિ-રિવાજોને અનુરૂપ પૂરી તૈયારી કરી હતી. સાથે જ તેમણે લગ્નમાં કન્યાદાન પણ કર્યું હતું.

લગ્નની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને લગ્ન માટે મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. બળદને દુલ્હાની જેમ સજાવવામાં આવ્યો હતો. જ્યારે ગાયને મહેંદી લગાવીને અને પીઠી ચોળીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. એટલું જ નહીં, બેન્ડબાજા સાથે બળદની જાન કાઢવામાં આવી હતી અને કાર્યક્રમ સ્થળ પર જાન પહોંચી હતી. મંડપની નીચે વૈદિક મંત્રોચ્ચારની સાથે બળદ અને ગાયના લગ્નના પૂરા રીતિ રિવાજ અનુસાર પૂર્ણ કરવામાં આવ્યા હતા.

આ અનોખા લગ્ન અંગે પંડિત અમિત પુજારીએ જણાવ્યું હતું કે, ગાય અને બળદના વિવાહ પિતૃઓની શાંતિ અને વંશ વૃદ્ધિ માટે કરાવવામાં આવે છે. લગ્ન બાદ ગાય અને બળદ બંનેને ગૌશાળામાં છોડી દેવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.