રાહુલ ગાંધીના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી પર બેસવાનું લખ્યું નથી: DyCM મૌર્ય

શ્રીનગરમાં કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ભારત જોડો યાત્રાનું ઉદ્દેશ્ય બતાવતા સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ ભારતની યાત્રા છે એટલે તેનું નામ ભારત જોડો યાત્રા છે. રાહુલ ગાંધી દેશને બદલવાનો સંકલ્પ લઇને ચાલ્યા છે. ગાંધી અને ગોડસેનું જે અંતર હતું, એ જ આ યાત્રાનું અંતર છે. સત્તાધારી લોકો ગોડસેની વિચારધારાના છે અને આ ગાંધીના વિચારોની યાત્રા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પણ નિશાનો સાધ્યો.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મનના ચોરને જોઇ લેવા જોઇએ, તો તેમને ખબર પડી જશે કે દેશમાં નફરત કોણ ફેલાવી રહ્યું છે અને દેશમાં ભાગલા કોણ પાડી રહ્યું છે. તેમણે લાલ ચોક પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આજે દેશમાં નફરત અને ડરનો માહોલ બનાવી દેવામાં આવ્યો. તેમણે તેના માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી. સુરજેવાલાએ કહ્યું કે, લાલ ચોકથી ભારતનો તિરંગો ફરકાવીને અમે એ દેખાડ્યું કે ન તો નફરત ચાલશે, ન ભાગલા અને ન તો વિભાજન. આ દેશમાં પ્રેમ અને ભાઇચારો ચાલશે.

સુરજેવાલા અહીં જ ન રોકાયા, તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારે બેરોજગારી અને મોંઘવારી માટે જવાબદાર થવું પડશે. આજે દેશમાં નફરત અને વિભાજનનો માહોલ છે. 140 કરોડ લોકો દેશના વડાપ્રધાનથી પણ મોટા છે, તેઓ મોદી હોય કે કોઇ બીજું.. એ જોઇને લોકો જ આ દેશનો ઝંડો છે. આજે અમે લાલ ચોકથી કોઇ યુદ્ધનું નહીં, પરંતુ દેશને ફરીથી જોડાવાની જાહેરાત કરી રહ્યા છીએ.

એક સવાલના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે, કાશ વડાપ્રધાન પોતાના મનના ચોરને જોઇ લેતા તો હકીકત સામે આવી જતી, આ દેશને રોજ કબ્રસ્તાન અને સ્મશાનમાં તોડવામાં આવી રહ્યો છે. અમે બતાવવા માંગીએ છીએ કે, આ દેશ એમ નહીં ચાલે. જ્યારે બેરોજગારોની રોજી-રોટી મળશે તો દેશ ચાલશે.

તો દરભંગામાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ આ યાત્રાને ‘ભારત સમજો યાત્રા’ ગણાવી. સાથે જ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી પર બેસવાનું લખ્યું નથી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી સારું ભારત સમજો યાત્રા કરવી જોઇતી હતી. રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું, ફરકાવવાનું જાણતા નથી. તેમના મનમાં વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવાની વ્યાકુળતા છે, પરંતુ તેમના ભાગ્યમાં વડાપ્રધાનની ખુરશી લખેલી નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.