રક્ષાબંધનના અવસરે સગા ભાઈ-બહેન બન્યા જજ, પિતા પણ જજ છે

PC: navbharattimes.indiatimes.com

આગ્રાના ભાઈ-બહેને રક્ષાબંધનના પાવન પર્વ પર ગુડ ન્યૂઝ આપ્યા છે. બંને PCA (J) પરીક્ષામાં સિલેક્ટ થઈ ગયા છે. તેમના પરિવારમાં પિતા અને મોટા ભાઈ પહેલાથી જ જજ હતા. બંને આગ્રાના કાલિંદી વિહાર કોલોનીના રહેવાસી છે. પિતા અને ભાઈના માર્ગે ચાલીને તેમણે ઇતિહાસ રચ્યો છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ ઘર પર શુભેચ્છા આપનારાઓની લાઇન લાગી ગઈ છે. ઉત્તર પ્રદેશ લોકસેવા આયોગે બુધવારે PCA (J) પરીક્ષા 2022ના પરિણામ જાહેર કર્યા.

તેમાં આગ્રાના રિટાયર્ડ જજ આર.બી. મોર્યના પુત્ર સુધાંશુ સિંહ અને શૈલજા સિંહે સફળતા મેળવી છે. સુધાંશુએ 276મો રેન્ક હાંસલ કર્યો છે અને શૈલજા સિંહ 51મો રેન્ક. બંનેએ આ સફળતા પોતાના પહેલા પ્રયાસમાં મેળવી છે. રક્ષાબંધનના તહેવાર પર આવેલા પરિણામોએ પરિવારમાં ખુશીઓ વિખેરી દીધી છે. માતા ડૉ. સુમનલતા, કાકા દુર્લભ સિંહ અને વિચિત્ર સિંહ ખુશીથી નાચી ઉઠ્યા. સંબંધીઓ અને ઓળખિતા લોકો પરિવારને શુભેચ્છા આપવા પહોંચી રહ્યા છે.

સુધાંશુ સિંહના પિતા આર.બી. સિંહ મોર્ય એત્માદપુર તાલુકાના ખંડોલીના નગલા અર્જૂન ગામના રહેવાસી છે. તેઓ જુલાઇમાં જનપદ એટાથી ન્યાયાધીશ પદ પરથી સેવાનિવૃત્ત થયા છે. આર.બી. મૌર્યના મોટા પુત્ર અર્જિત મૌર્ય ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લામાં સિવિલ જજ છે. શૈલજા અને સુધાંશુએ પોતાના ભાઈ અને પિતાના માર્ગે ચાલીને પોતાના પહેલા જ પ્રયાસમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી.

રક્ષાબંધન પર ભાઈ-બહેનની આ સફળતાથી શહેરવાસી ખુશ છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરીને તેમને શુભેચ્છા આપી રહ્યા છે.શૈલજાએ લખનૌ યુનિવર્સિટીથી વિધિમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે BA LLBની પરીક્ષા પાસ કરી છે. શૈલજા મોર્યએ એ પહેલા જ નક્કી કરી લીધું હતું કે, તેમણે જજ બનવું છે. આ જ કારણ છે કે પહેલા જ પ્રયાસમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી લીધી છે.

UPPSCએ બુધવારે PCA (J)નું પરિણામ જાહેર કર્યું. 3 રાઉન્ડ ઇન્ટરવ્યૂમાં કુલ 303 સિલેક્ટેડ અભ્યાર્થીઓમાંથી 302 સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેમાં 165 છોકરીઓ સામેલ છે. કાનપુરની નીશી ગુપ્તાએ ટોપ કર્યું છે. બીજા નંબર પર શિશિર યાદવ અને ત્રીજા નંબર પર રશ્મિ સિંહ છે. 12 ફેબ્રુઆરીના રોજ પ્રી-પરીક્ષા લેવાઈ હતી. તેનું પરિણામ 16 માર્ચે આવ્યું હતું. તેમાં 3145 અભ્યાર્થી પાસ થયા હતા.

મુખ્ય પરીક્ષા  23, 24 અને 25 મેના રોજ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 3019 અભ્યાર્થી સામેલ હતા. 16-28 ઑગસ્ટ સુધી 959 અભ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ થયું હતું, એક વ્યક્તિનું પરિણામ એટલે જાહેર નથી થયું કેમ કે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિલેક્ટેડ અભ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp