રક્ષાબંધનના અવસરે સગા ભાઈ-બહેન બન્યા જજ, પિતા પણ જજ છે

આગ્રાના ભાઈ-બહેને રક્ષાબંધનના પાવન પર્વ પર ગુડ ન્યૂઝ આપ્યા છે. બંને PCA (J) પરીક્ષામાં સિલેક્ટ થઈ ગયા છે. તેમના પરિવારમાં પિતા અને મોટા ભાઈ પહેલાથી જ જજ હતા. બંને આગ્રાના કાલિંદી વિહાર કોલોનીના રહેવાસી છે. પિતા અને ભાઈના માર્ગે ચાલીને તેમણે ઇતિહાસ રચ્યો છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ ઘર પર શુભેચ્છા આપનારાઓની લાઇન લાગી ગઈ છે. ઉત્તર પ્રદેશ લોકસેવા આયોગે બુધવારે PCA (J) પરીક્ષા 2022ના પરિણામ જાહેર કર્યા.

તેમાં આગ્રાના રિટાયર્ડ જજ આર.બી. મોર્યના પુત્ર સુધાંશુ સિંહ અને શૈલજા સિંહે સફળતા મેળવી છે. સુધાંશુએ 276મો રેન્ક હાંસલ કર્યો છે અને શૈલજા સિંહ 51મો રેન્ક. બંનેએ આ સફળતા પોતાના પહેલા પ્રયાસમાં મેળવી છે. રક્ષાબંધનના તહેવાર પર આવેલા પરિણામોએ પરિવારમાં ખુશીઓ વિખેરી દીધી છે. માતા ડૉ. સુમનલતા, કાકા દુર્લભ સિંહ અને વિચિત્ર સિંહ ખુશીથી નાચી ઉઠ્યા. સંબંધીઓ અને ઓળખિતા લોકો પરિવારને શુભેચ્છા આપવા પહોંચી રહ્યા છે.

સુધાંશુ સિંહના પિતા આર.બી. સિંહ મોર્ય એત્માદપુર તાલુકાના ખંડોલીના નગલા અર્જૂન ગામના રહેવાસી છે. તેઓ જુલાઇમાં જનપદ એટાથી ન્યાયાધીશ પદ પરથી સેવાનિવૃત્ત થયા છે. આર.બી. મૌર્યના મોટા પુત્ર અર્જિત મૌર્ય ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લામાં સિવિલ જજ છે. શૈલજા અને સુધાંશુએ પોતાના ભાઈ અને પિતાના માર્ગે ચાલીને પોતાના પહેલા જ પ્રયાસમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી.

રક્ષાબંધન પર ભાઈ-બહેનની આ સફળતાથી શહેરવાસી ખુશ છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરીને તેમને શુભેચ્છા આપી રહ્યા છે.શૈલજાએ લખનૌ યુનિવર્સિટીથી વિધિમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે BA LLBની પરીક્ષા પાસ કરી છે. શૈલજા મોર્યએ એ પહેલા જ નક્કી કરી લીધું હતું કે, તેમણે જજ બનવું છે. આ જ કારણ છે કે પહેલા જ પ્રયાસમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી લીધી છે.

UPPSCએ બુધવારે PCA (J)નું પરિણામ જાહેર કર્યું. 3 રાઉન્ડ ઇન્ટરવ્યૂમાં કુલ 303 સિલેક્ટેડ અભ્યાર્થીઓમાંથી 302 સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેમાં 165 છોકરીઓ સામેલ છે. કાનપુરની નીશી ગુપ્તાએ ટોપ કર્યું છે. બીજા નંબર પર શિશિર યાદવ અને ત્રીજા નંબર પર રશ્મિ સિંહ છે. 12 ફેબ્રુઆરીના રોજ પ્રી-પરીક્ષા લેવાઈ હતી. તેનું પરિણામ 16 માર્ચે આવ્યું હતું. તેમાં 3145 અભ્યાર્થી પાસ થયા હતા.

મુખ્ય પરીક્ષા  23, 24 અને 25 મેના રોજ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 3019 અભ્યાર્થી સામેલ હતા. 16-28 ઑગસ્ટ સુધી 959 અભ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ થયું હતું, એક વ્યક્તિનું પરિણામ એટલે જાહેર નથી થયું કેમ કે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિલેક્ટેડ અભ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.