રામ મંદિરની સુરક્ષા માટે બોમ્બે સ્કવોડ મૂકી દેવામાં આવી, જાણો શું છે કારણ

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ઉત્તર પ્રદેશ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને હજુ વધારી દીધી છે. પોલીસે અહી ખાસ કરીને 2 નવી એન્ટી સેબોટોઝ ચેક (AS ચેક) ટીમોને તૈનાત કરી છે. સાથે જ અલ્લાહાબાદ હાઇ કોર્ટ, લખનૌ પીઠ અને સચિવાલયની સુરક્ષાને મજબૂત કરી છે. અયોધ્યા જન્મભૂમિને મળાવીને કુલ 8 બોમ્બ નિરોધક અને તપાસ ટીમ તૈનાત કરી છે. સુરક્ષા હેડક્વાર્ટર સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિમાં પહેલાથી જ એક બોમ્બ નિરોધક ટીમ તૈનાત હતી.

હવે ત્યાં 2 અન્ય ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તેની સાથે જ હાઇ કોર્ટના પ્રયાગરાજ અને લખનૌ પરિસરોની સુરક્ષા માટે એક-એક બોમ્બ નિરોધક ટીમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાઇ કોર્ટે થોડા મહિનાઓ અગાઉ બંને પરિસરોમાં બોમ્બ નિરોધક ટીમ તૈનાત કરવાના નિર્દેશ પણ આપ્યા હતા. એ સિવાય લોકભવન સહિત 5 સચિવલયોની સુરક્ષા માટે તેની એક ડેડિકેટેડ ટીમ આપવામાં આવી છે. વારાણસીમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત દેશ-વિદેશના VVIP લોકોની મૂવમેન્ટને ધ્યાનમાં રાખતા બોમ્બ નિરોધક ટીમ આપવામાં આવી છે.

આ બદલાવ બાદ હવે આખા રાજ્યમાં 31 BDDS ટીમો તૈનાત થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, BDDS ટીમના બધા જવાનોને NSG માનેસર અને CRPFના ટ્રેનિંગ સેન્ટર પૂણેમાં ટ્રેન્ડ કરવામાં આવ્યા છે. 13 વર્ષ બાદ આ પહેલી વખત છે, જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસના સુરક્ષા વિંગ BDDS ટીમોની સંખ્યા રાજ્ય સ્તર વધારી છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી પૂરી કરવામાં આવી રહ્યું છે. તેની સુરક્ષાને લઈને ઘણી વખત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રામ મંદિરની સુરક્ષામાં પહેલાથી જ ભારે સંખ્યામાં પોલીસ બળ તૈનાત છે. રામ મંદિરનું નિર્માણ જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં પૂરું કરી લેવામાં આવશે. ગત દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું હતું કે, જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં રામ લલા (બાળ ભગવાન રામ)ની મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સ્થાપિત કરવામાં આવશે. જો કે, મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2025 સુધી સમાપ્ત થશે. પણ આ પહેલા તે જાન્યુઆરી 2024થી જ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.