નારાયણ રાણે જાણો એવું શું બોલ્યા કે AAPએ કહ્યું- ગલીના ગુંડા જેવી ભાષા બોલે છે

ભાજપના સાંસદ નારાયણ રાણેના સંસદમાં એક નિવેદન પર ભારે બબાલ મચી ગઇ છે. તેમણે શિવસેના (UT)માં ઓકાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના નિવેદન પછી વિપક્ષને તેમની પર પ્રહાર કરવાનો મોક મળી ગયો હતો. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપના મંત્રી ગલીના ગુંડા જેવી ભાષા બોલે છે.

લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ભાષણ પર વિપક્ષે ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ નારાયણ રાણે પર અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો. નારાયણ રાણેના ભાષણનો વીડિયો શેર કરતા AAPએ પૂછ્યું કે શું નફરતભર્યા ભાષણ બદલ ભાજપના મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવશે?

ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન નારાયણ રાણેએ શિવસેના (UBT) પર પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્ધવ સેનાના સાંસદો માટે 'ઓકાદ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાનો કોઈ અધિકાર નથી.

આમ આદમી પાર્ટીએ નારાયણ રાણેએ બોલેલો શબ્દો સાથે ટ્વીટ કરીને લખ્યું કે, અરે બેસ, પાછળ બેસ, તેમની ઓકાદ નથી, તમારી ઓકાદ કાઢી નાંખીશ. આટલું લખીને AAPએ આગળ લક્યું કે PM મોદીના મંત્રી નારાયણ રાણે સંસદમાં કોઇ ગલીના ગુંડાની જેમ ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર સામે સવાલ પુછવા પર વિપક્ષના સાંસદને તરત સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. શું અભદ્ર ભાષાના ઉપયોગ કરવા બદલ ભાજપ તેમના મંત્રીને સસ્પેન્ડ કરશે?

નારાયણ રાણેએ સંસદમાં કહ્યું હતું કે, જ્યારે શિવસેના ઉદ્ધવ જૂથ NDA છોડીને  શરદપવાર સાથે ગયું ત્યારે તેમને હિન્દુત્વ યાદ નહોતું. હવે કંઈ બચ્યું નથી. અત્યારે જે અવાજ આવી રહ્યો છે તે બિલાડીનો અવાજ છે, સિંહનો અવાજ બચ્યો નથી. અત્યારે અમારા PM પર કોઈ સવાલ ઉઠાવી શકે નહી. છે. તેમની ઓકાદ નથી.જો કોઈ PM મોદી અને અમિત શાહ પર આંગળી ચીંધશે તો હું તમારું ઓકાદ કાઢી નાંખીશ

નારાયણ રાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેઓ અત્યારે મોદી સરકારના બીજા મંત્રીમંડળ વિસ્તરણમાં MSME મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. નારાયણ રાણે શિવસેનામાં દિગ્ગજ નેતા હતા તે પછી તેઓ શિવસેના છોડીને ભાજપમાં આવી ગયા હતા.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.