પતંજલિની આ પ્રોડ્કટમાં નોન વેજના ઉપયોગનો આરોપ, વકીલે નોટિસ આપીને જવાબ માગ્યો

મલ્ટીનેશનલ કંપની પતંજલિને પોતાની ડેન્ટલ કેર પ્રોડક્ટમાં નોન વેજિટેરિયન પદાર્થના ઉપયોગ કરવા માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની પોતાની ‘દિવ્ય  દંત મંજન’માં કટલ ફિશ નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે.

નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નોન વેજ પદાર્થનો ઉપયોગ કરવા છતા કંપની તેના પ્રોડક્ટ પર ગ્રીન યાની વેજીટેરિયન લેબલ લગાવે છે.પતંજલિને આ લીગલ નોટિસ એડવોકેટ શાશા જૈને મોકલી છે. આ નોટિસમાં 15 દિવસની અંદર સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે.

ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં શાશાએ 'દિવ્ય દંત મંજન'નો ફોટો અને તેમાં વપરાતી સામગ્રી પણ શેર કરી છે. શાશાએ કહ્યું, તેનાથી અમારા સમુદાય અને અન્ય શાકાહારી સમુદાયોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

શાશા જૈને જણાવ્યું હતું કે દિવ્ય દંત મંજનમાં માંસાહારી ઇન્ગ્રીડન્ટ સી ફોમનો ઉપયોગ અને તેનું શાકાહારી ઉત્પાદન તરીકે વેચાણ અને વેચાણ ગ્રાહક અધિકારો અને લેબલિંગ નિયમોનું ઉલ્લંઘન છે. શાશાએ કહ્યું, હું જાતે તમારી કંપનીના ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરું છું, પરંતુ હવે હું પતંજલિ ઉત્પાદનોનો ઉપયોગ કરીને અસહજતા અનુભવું છું.

સમુદ્ધ ફેન  કટલ ફિશમાંથી મળતું એક એનિમલ પ્રોડક્ટ છે. માછલીના મર્યા પછી તેના હાડકાં સમુદ્ધના પાણીમાં તરવા લાગે છે. જ્યારે પાણીની સપાટી પર મોટી સંખ્યામાં હાડકાં તરતા હોય ત્યારે દુરથી એ ફીણ જેવું લાગે છે. આમાં 80 ટકા કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, ઉપરાંત એમાં ફોસ્ફેટ, સિલિકા અને સલ્ફેટ જેવા અન્ય તત્વો પણ હોય છે.

પતંજલિની વેબસાઇટમાં જણાવ્યા મુજબ દિવ્ય દંત મંજન એ પેઢા તેમજ દાંત માટે સૌથી શક્તિશાળી ઔષધીય ઉત્પાદન છે. આ ટૂથ પાડરના ઉપયોગથી પેઢા મજબૂત થાય છે અને તેના કારણે દાંતની પાયોરિયા જેવી સમસ્યા દુર થાય છે.

ગયા વર્ષે ઉત્તરાખંડમાં આયુર્વેદિક અને યુનાની સેવાની અધિકારીઓઅ પતંજલિને 5 દવાઓના ઉત્પાદન પર રોક લગાવવા કહ્યું હતું. પતંજલિની દવા સામે ફરિયાદ નોંધાયા બાદ આ વિવાદ શરૂ થયો હતો. પતંજલિની જે 5 દવાઓનું ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું હતું તેમાં દિવ્ય મધુગ્રિત,દિવ્ય આઇગ્રિટ, દિવ્ય થાયરોગ્રિટ,દિવ્ય બીપી ગ્રિટ અને દિવ્ય લિપિડોમનો સમાવેશ થાય છે. પતંજલિએ તે વખતે કહ્યુ હતુ કે આમા આયુર્વેદિક માફિયાઓનો હાથ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.