2 સગી બહેનો સાથે ગેંગરેપ કરી એક ઝાડ સાથે લટકાવી દેનારા નરાધમોને આ સજા મળી

ઉત્તર પ્રદેશાના લખીમપુર ખીરીમાં 25 ઓગસ્ટના રોજ અહીની જિલ્લા કોર્ટે ગેંગરેપના કેસમાં એક સગીરને આજીવન કેદની સજા આપી છે. કોર્ટે સજા આપવાની સાથે જ દોષી સગીર પર આર્થિક દંડ પણ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, સજા વર્ષ 2022માં થયેલા નિઘાસન ગેંગરેપ અને મર્ડર કેસને લઇ આપવામાં આવી. કોર્ટે સગીર પર ધારા 302/34, 323, 452, 363, 376, 201 અને પોક્સો એક્ટની ધારા 5G/6 હેઠળ દોષી જાહેર કર્યો. આ ઉપરાંત તેના પર 46 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણીમાં સજા આપતા સમયે જજ રાહુલ સિંહે કહ્યું કે, આરોપીની ઉંમર નાની છે પણ તેણે જે ગુનો કર્યો છે તે જઘન્ય છે.

નિઘાસન ગેંગરેપ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી સગીર હતો. તેની ધરપકડ કર્યા પછી તેને બાળ સુધાર ગ્રૃહમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં 4 આરોપીઓ પર પહેલાથી જ દોષ સાબિત થઇ ચૂક્યા છે.

નિઘાસન હત્યાકાંડ

14 સપ્ટેમ્બર 2022ના રોજ લખીમપુરના નિઘાસનમાં બે સગી બહેનોનું શવ એક વૃક્ષ પર લટકેલું મળી આવ્યું હતું. મામલો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી. પોસ્ટપોર્ટમ રિપોર્ટથી જાણ થઇ કે હત્યા પહેલા બંને કિશોરીઓ સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી બંનેની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી અને શવને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા.

મીડિયા રિપોર્ટ અનુસાર, આરોપી યુવક બંને બહેનોને તેની માતાની સામે જ ઉઠાવીને લઇ ગયા હતા. ઘટનાની જાણકારી સામે આવ્યાના 24 કલાકની અંદર પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યાર પછી FIR દાખલ કરી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલી દેવામાં આવ્યો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને સજા આપી દેવામાં આવી છે. 3ને આજીવન કેદ અને બે આરોપીઓને6-6 વર્ષની સજા આપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.