ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત, મનસુખ માંડવિયાએ ભારતીય કંપનીને તાળા મારી દીધા

ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સીરપને કારણે બાળકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભારતીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એની સામે કડક એકશન લીધા છે.તેમણે કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કથિત ખાંસીની દવાને કારણે મોત બાદ ભારતના નોઇડામાં આવેલી મેરિયન બાયોટેક સવાલોના ઘેરામાં આવી ગઇ છે. ઉઝબેકિસ્તાનના આ દાવા પછી ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતને ભારતીય કફ સિરપ સાથે જોડ્યા બાદ બાળકોના મોત અંગેનો રિપોર્ટ માંગ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ ઘટનામાં કોઇ પણ પ્રકારની લાપરવાહી કરવા માંગતું નથી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આખી ઘટના પર જાતે નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કંપનીની તપાસના આધારે આગળનું પગલું લેવાશે.

ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે બાળકોના મોત ડોક-1 મેક્સ દવા પીવાને કારણે થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ કહ્યુ કે મેરિયન બાયોટક કંપની ખાંસીની દવાનું ભારતમાં વેચાણ કરતી નથી.  આ દવાની માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરવામાં આવે છે.

માંડવિયાએ કહ્યુ કે નોઇડામાં આવેલી મેરિયન બાયોટેક કંપનીમાંથી ખાંસીની દવાના નમૂના લેવામાં આવ્યા છે અને ચંદીગઢમાં આવેલી રિજનલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મોતને ભેટનારા 18 બાળકોના મોત ડોક-1 મેક્સ સિરપ લેવાને કારણે થયા છે. જેનું ઉત્પાદન નોઇડામાં આવેલી મેરિયન બાયોટેક કંપનીએ કરેલું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તપાસમાં એવું જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં દાખલ થયા તે પહેલાં બાળકોએ 2થી 7 દિવસમાં 3-4 વખત આ ખાંસીની દવા લીધી હતી. જેને કારણે તેમના મોત થયા છે. હવે ઉઝબેકિસ્તાન સરકારે ભારત સરકારને આ મામલે તપાસ કરીને આરોપી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.