વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો, બોલપુર સ્ટેશન પર રોકવામાં આવી ટ્રેન

પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર ફેકવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનના કાંચને થોડું નુકસાન થયું છે. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલા અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ વંદે ભારતના C14 કમ્પાર્ટમેન્ટ પર પથ્થર ફેકવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર ઘણા સમય સુધી રોકવી પડી. જ્યારે અહીં માત્ર 2 મિનિટનું જ સ્ટોપેજ છે. નસીબ રહ્યું કે, આ પથ્થરમારામાં કોઇ મુસાફરને નુકસાન ન થયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી અને પછી 2 જાન્યુઆરીના રોજ ટ્રેન પર પથ્થર ફેકવાની ઘટના સામે આવી હતી. આ અંગે પૂર્વી રેલવેના CPROએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વીડિયો ફૂટેજ સ્કેન કર્યા બાદ એ જાણવા મળ્યું કે સોમવાર (1 જાન્યુઆરી)ના રોજ થયેલો પથ્થરમારો મલદા જિલ્લામાં થયો હતો. તો મંગળવારે (2 જાન્યુઆરીના રોજ)ની ઘટના બિહારના કિશનકંજની હતી.

તેમની તરફથી ભાર આપીને કહેવામાં આવ્યું કે, આરોપીઓને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હવે તપાસ તો ચાલુ જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ ઘટનામાં NIA તપાસની માગણી ઉઠાવી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 1 અને 2 જાન્યુઆરીના રોજ થયેલી પથ્થરમારાની ઘટનાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, વંદે ભારત પર બિહારમાં પથ્થર ફેકવામાં આવ્યા હતા, પશ્ચિમ બંગાળમાં નહીં. જે પણ લોકોએ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કર્યું છે, તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે આગળ કહ્યું હતું કે, અમારા રાજ્યને બદનામ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આમ પણ વંદે ભારત કોઇ ટ્રેન નથી. આ તો એક જૂની ટ્રેન છે, જેમાં નવું એન્જિન લગાવી દેવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ વંદે ભારત પર થયેલા પથ્થરમારા બાદ પશ્ચિમ બંગાળના નેતા પ્રતિપક્ષ અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને લઇને NIA તપાસની માગ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારતના ગૌરવ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો. શું તે ઉદ્દઘાટનના દિવસે ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનો બદલો છે? હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય રેલવેને આ મામલે NIAને તપાસ સોંપવાનો આગ્રહ કરું છું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.