મણિપુરમાં ફરી હિંસા ભડકી, RSSએ નિંદા કરી, કહ્યું- 50000થી વધુ લોકો...

મણિપુરમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે આવી છે. રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકપીની સરહદ પાસે બળવાખોરોએ હંગામો મચાવ્યો છે. આ સિવાય હેંગઝાંગમાં પણ ગોળીબારના અહેવાલ મળ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇમ્ફાલના સેકમાઇ વિસ્તારમાં, કુકી પક્ષના કેટલાક અજાણ્યા બદમાશો દ્વારા કથિત રીતે બે સંસ્થાનોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, કુકી ગામ હેંગઝાંગમાં બીજી બાજુથી ગોળીબારના અહેવાલ પણ મળ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, મણિપુરમાં એક મહિના કરતા વધુ સમયથી વંશીય હિંસા ચાલી રહી છે. આમાં 100થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઇ સમુદાયની માંગના વિરોધમાં મણિપુરના પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ પ્રથમ વખત અથડામણો ફાટી નીકળી હતી.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇતી છે અને મોટાભાગે ઇમ્ફાલની ખીણમાં રહે છે. આદિવાસીઓ-નાગા અને કુકી-વસ્તીના 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.

મણિપુરના CM N બિરેન સિંહે આ મુદ્દે મિઝોરમના CM જોરામથાંગા સાથે ફોન પર વાત કરી છે. મિઝોરમના CMએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, મણિપુરના CMએ પાડોશી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તેમની મદદ માંગી છે. CMએ કહ્યું હતું કે, ટેલિફોનિક વાતચીત દરમિયાન CM N બિરેન સિંહે પણ તેમને મિઝોરમમાં રહેતા મેઇતી લોકોની સુરક્ષા માટે પગલાં લેવા વિનંતી કરી હતી.

જોરમથાંગાએ ટ્વિટર પર કહ્યું હતું કે, "મણિપુરના CM N બિરેન સિંહે મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે ફોન પર વાત કરી હતી અને આ મામલાને માત્ર સહકારથી જ ઉકેલી શકાય તેવી આશા સાથે મારી મદદ માંગી હતી.' આ ઉપરાંત, તેમને મિઝોરમ મેઇતીને શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવા માટેના ઉપાયો અને પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. તેમણે મણિપુરના CMને એમ પણ કહ્યું કે, મિઝોરમના લોકો મેઇતીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને સરકાર અને નાગરિક સમાજ સંગઠનોએ શાંતિ અને સુરક્ષા માટે પગલાં લીધાં છે.

આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં RSSએ કહ્યું હતું કે, 'મણિપુરમાં છેલ્લા 45 દિવસથી સતત હિંસા ખૂબ જ ચિંતાજનક છે. 03 મે, 2023ના રોજ મણિપુરમાં ચુરાચાંદપુરમાં લાઇ હરાઓબા ઉત્સવ દરમિયાન આયોજિત વિરોધ રેલી બાદ શરૂ થયેલી હિંસા અને અનિશ્ચિતતા ખેદજનક છે.

સદીઓથી પરસ્પર સૌહાર્દ અને સહકારથી શાંતિપૂર્ણ જીવન જીવતા લોકોમાં પાછળથી ફાટી નીકળેલી અશાંતિ અને હિંસા આજે પણ અટકી નથી તે ખૂબ જ કમનસીબીની વાત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભયંકર દુઃખના આ સમયગાળા દરમિયાન વિસ્થાપિત અને મણિપુર કટોકટીનો ભોગ બનેલા અન્ય પીડિતો સાથે ઉભો છે, જેમની સંખ્યા 50,000થી વધુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે, લોકશાહી પ્રણાલીમાં હિંસા અને નફરત માટે કોઈ સ્થાન નથી અને એ પણ માને છે કે, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરસ્પર સંવાદ અને ભાઈચારાની અભિવ્યક્તિ દ્વારા જ કોઈપણ સમસ્યાનો ઉકેલ શક્ય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.