વિશ્વ હિન્દુ પરિષદે અતીક અને અશરફ હત્યાકાંડ પર કહી આ વાત

માફિયા ડૉન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીકને 8 ગોળીઓ મારવામાં આવી હતી અને અશરફના શરીરમાંથી 5 ગોળીઓ કાઢવામાં આવી હતી. માથા, છાતી, ગાળા પર ગોળીઓ લાગી હતી. જે ત્રણ લોકોએ અતીક અને અશરફની હત્યા કરી હતી, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ હત્યાકાંડને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની પ્રતિક્રિયા સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે ટ્વીટ કરતા લખ્યું કે, ‘અતીક અહમદની હત્યામાં બજરંગ દળનું નામ લઈને અફવા ઉડાવવામાં આવી રહી છે જે પૂર્ણતઃ ભ્રામક છે, હત્યા કરનારા કોણ છે, તેની તપાસ ઉત્તર પ્રદેશ સરકાર કરાવી રહી છે, સત્ય સામે આવી જ જશે.’

અતીક અને અશરફની હત્યા કારનારાઓમાં સામેલ બંદાનો લવલેશ તિવારી ઘણા વર્ષો અગાઉ બજરંગ દળ સાથે જોડાયો હતો. તેની માતા આશા દેવીએ જણાવ્યું કે, લવલેશ ભગવાનનો ભક્ત હતો. પૂજા-પાઠ કર્યા વિના ખાવાનું પણ ખાતો નહોતો. તેણે જ્યારે ટી.વી. પર એ સમાચાર સાંભળ્યા કે અતીક અને અશરફને ગોળી મારનારા શૂટર્સમાં તેનો દીકરો પણ સામેલ છે તો તેને જરાય વિશ્વાસ ન થયો. ખબર નહીં તે કેવી સંગતમાં ફસાઈ ગયો કે તેણે આ બધુ કરી દીધું.

ઉલ્લેખની છે એક વિશ્વ હિન્દુ પરિષદની યૂથ વિંગને બજરંગ દળ કહેવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદની સત્તાવાર વેબસાઇટ મુજબ બજરંગ દળની સ્થાપના 8 ઓક્ટોબર 1984ના રોજ અયોધ્યામાં થઈ હતી. અતીક અને અશરફની હત્યા કરનારો સની સિંહ હમીરપુર જિલ્લાના કુરારા વિસ્તારનો રહેવાસી છે. તે કુરારા પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે. જેનો હિસ્ટ્રીશીટ નંબર 281A છે. તેની વિરુદ્ધ લગભગ 15 કેસ નોંધાયેલા છે. તેના ભાઈ પિન્ટુએ જણાવ્યું કે, તે છેલ્લા 10 વર્ષથી પોતાના ઘરે આવ્યો નથી. સનીના પિતા જગત સિંહ અને માતાનું મોત થઈ ચૂક્યું છે.

અન્ય એક આરોપી અરુણ ઉર્ફ કાલિયા સોરો પોલીસ સ્ટેશન વિસ્તારના બાઘેલા પુખ્તાનો રહેવાસી છે. અરુણના પિતાનું નામ હીરાલાલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે 6 વર્ષથી બહાર રહેતો હતો. તેના માતા-પિતાનું મોત લગભગ 15 વર્ષ અગાઉ થઈ ચૂક્યુ હતુ. અરુણે GRP પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તે ફરાર છે. અરુણના બે નાના ભાઈ પણ છે જેમના નામ ધર્મેન્દ્ર અને આકાશ ચે જે ફરીદાબાદમાં રહીને ભંગારનું કામ કરે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.