મુંબઇ-ગોવા હાઇવે પર ખતરનાક એક્સિડન્ટમાં 9ના મોત

મહારાષ્ટ્રમાં મુંબઇ-ગોવા હાઇવે પર એક રોડ એક્સિડન્ટ થઇ ગયું છે. એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થવાના કારણે તેમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે. મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે. આ અકસ્માત રાયગઢના માનગાંવના રેપોલીમાં થયો છે. રોડ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા. ત્રણ અને કારની સામસામે ટક્કર જેવી જ થઇ કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ અને કારમાં સવાર લોકોના મોત થઇ ગયા.

રાયગઢ જિલ્લામાં મુંબઇ-ગોવા હાઇવે પર ગુરુવારે સવારે 4:45 વાગ્યે આ ઘટના બની. પુરપાટ ઝડપે ટ્રકની વેન સાથે ટક્કર થવાથી 9 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા અને એક છોકરી ઇજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના મુંબઇથી 130 કિલોમીટર દૂર સ્થિત રાયગઢના રેપોલી ગામમાં સવારે થઇ હતી. પોલીસ અધિક્ષક સોમનાથ ધાર્ગેયે કહ્યું કે, બધા પીડિત વેનમાં રત્નાગિરી જિલ્લાના ગુહાગર જઇ રહ્યા હતા. ટ્રક મુંબઇ તરફ જઇ રહ્યો હતો.

અધિકારીએ કહ્યું કે, મૃતકોમાં એક બાળક, 3 મહિલાઓ અને 5 પુરુષ સામેલ છે. જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બચાવ અભિયાન શરૂ કર્યું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી 4 વર્ષીય છોકરીને માનગાંવની એક હૉસ્પિટલમાં લઇ જવામાં આવી છે. શબોને પોસ્ટમોર્ટમ માટે સરકાર હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસે કહ્યું કે, દુર્ઘટનાના કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે, હાલમાં હાઇવે પર વાહનવ્યવહાર શરૂ થઇ ગયો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ મુંબઇ-ગોવા હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.

તો મહારાષ્ટ્રમાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં એક બસ પલટી જવાના કારણે 4 લોકોના મોત થઇ ગયા છે. તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે થઇ. બસ ડ્રાઇવરનું કંકાવલીમાં ગડ નદી પાસે એક વણાંક દરમિયાન નિયંત્રણ છૂટી ગયું હતું. જેના કારણે બસ પલટી ગઇ. પૂર્ણ બસમાં 36 મુસાફર સવાર હતા, તેમાંથી 4 લોકોના મોત થઇ ગયા છે. બધા ઇજાગ્રસ્તોને નજીકના જ કંકાવલી સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.