ચૂંટણી પંચની યોજના, દેશમાં ગમે ત્યાં હશો, પોતાના મતવિસ્તાર માટે મત આપી શકશો

પોતાના ઘરથી કામકાજ કે અભ્યાસ માટે સ્થળાંતર કરતા લોકોને પોતાના મત વિસ્તારમાં મતદાન કરવાની અગવડ દુર કરવા માટે ચૂંટણી પંચ એક નવી યોજના લઇને આવી રહ્યું છે,જેમાં તમે દેશમાં ગમે તે વિસ્તારમાં હો તો પણ તમારા વિસ્તારમાં એ સ્થળે બેઠા બેઠા મતદાન કરી શકશો.

ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ તૈયારી મુજબ હવે દેશમાં ગમે ત્યાંથી તમારા મતવિસ્તારમાં મતદાન કરી શકાશે. એટલે કે, તમે જ્યાં પણ રહો છો, તમારે તમારો મત આપવા માટે તમારા ઘરે જવાની જરૂર નહીં પડે, પરંતુ ચૂંટણી પંચની નવી ટેક્નોલોજીની મદદથી તમે ગમે ત્યાંથી મતદાન કરી શકશો.

રિમોટ વોટિંગ માટે ચૂંટણી પંચે પ્રોટોટાઈપ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM) તૈયાર કર્યું છે. આ મશીન એક મતદાન મથકથી 72 વિવિધ મતવિસ્તારોમાં મતદાન કરાવી શકશે.

જો આ વોટિંગ સિસ્ટમને લીલી ઝંડી મળી જશે તો સ્થળાંતર કરનારા લોકો એટલે કે અન્ય શહેરો કે રાજ્યોમાં ઘરથી દૂર રહેતા લોકો માટે મતદાનનું ટેન્શન સમાપ્ત થઈ જશે. તેઓ તેમના રહેઠાણના સ્થળ માટે ત્યાં ન રહેતા નેતાઓને ચૂંટવામાં ભાગ લઈ શકશે. એક સામાન્ય ભાષામાં સમજીએ કે ધારો કે તમે સુરતમાં રહો છો અને તમારો મત આપવાનો અધિકાર ઉત્તર પ્રદેશમાં છે તો હવે તમારે મત આપવા માટે ઉત્તર પ્રદેશ જવાની જરૂર નથી, સુરતમાં બેઠા બેઠા મત આપી શકશો.

ઘણી વખત લોકો અભ્યાસ અને નોકરી માટે બીજા શહેરોમાં જાય છે અને પછી ચૂંટણી દરમિયાન ત્યાંથી તેમના ઘર સુધી પહોંચવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહી જતા હોય છે.

જો કે, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ RVM મશીનથી કોઈપણ વ્યક્તિ દૂરના સ્થળેથી મતદાન કરી શકશે. આ મશીન એક રિમોટ પોલિંગ બૂથથી 72 અલગ-અલગ બૂથ પર મતદાન કરાવી શકે છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં, મોટી સંખ્યામાં લોકો સ્થળાંતરને કારણે મતદાન કરી શક્યા ન હતા. ચૂંટણી પંચના કહેવા મુજબ, 2019માં 67.4 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ દરમિયાન 30 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. આ સમસ્યાને દૂર કરવા માટે ચૂંટણી પંચે RVM તૈયાર કર્યું છે.

ચૂંટણી પંચ એવું ઇચ્છે છે કે મતદાનમાં સુધારો થાય અને ચૂંટણીમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય. તેમજ દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરવાની તક મળે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.