NCPમાં તો બે ફાડચા પડ્યા જ પણ અજિત પવારની એન્ટ્રીથી શિંદે ગ્રુપમાં પણ ભાગલા

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવનાર શિવસેના ( શિંદે)ને હજુ 30 જૂને એક વર્ષ પુરુ થયું હતું અને ઉદ્ધવ સાથે છેડો ફાડીને આવેલા ઘણા બધા નેતાઓ મંત્રી બનવાના સપના જોતા હતા,પરંતુ NCPના અજિત પવાર સહિત 8 મંત્રીઓને શિંદે સરકારમાં સામેલ થવાને કારણે તેમના સપના ચકનાચૂર થઇ જતા દેખાઇ રહ્યા છે, એટલે શિંદે ગ્રુપમાં પણ ભારે નારાજગી વ્યાપી ગઇ છે. અજિત પવારની એન્ટ્રીને કારણે NCPમાં તો બે ભાગલા પડી જ ગયા છે, પરંતુ હવે શિંદે ગ્રુપમાં પણ બે ભાગલા પડી રહ્યા છે.

NCP નેતા અજિત પવાર તેમના કાકા શરદ પવાર સામે બળવો કરીને એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 8 ધારાસભ્યોએ પણ શિંદે સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. NCPના બળવાખોર નેતાઓ મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ એકનાથ શિંદે જૂથમાં બેચેની અને નારાજગી જોવા મળી રહી છે. શિવસેના (શિંદે જૂથ)ના નેતા સંજય શિરસાટે કહ્યું કે અમે હંમેશા NCP અને શરદ પવારની વિરુદ્ધ જ રહ્યા છે.તેમણે કહ્યું કે NCP નેતાઓ સાથે આવ્યા બાદ અમારા નેતાઓ નારાજ છે. કારણ કે NCPમાં જોડાયા પછી અમારા કેટલાક નેતાઓને ઈચ્છિત પદ નહીં મળી શકે.

સંજય શિરસાટે કહ્યું કે, જ્યારે પણ રાજનીતિમાં અમારા હરીફ અમારી સાથે જોડાવા માંગે છે, ત્યારે અમારે તેમને સામેલ કરવા પડે છે અને ભાજપે તે જ કર્યું છે. પરંતુ  NCPના નેતાઓ સાથે આવ્યા બાદ અમારા નેતાઓ નારાજ છે. કારણ કે અમારા કેટલાક નેતાઓને ઈચ્છિત હોદ્દો નહીં મળે. NCP અમારી સાથે જોડાવાથી અમારા તમામ નેતાઓ ખુશ છે તે સાચું નથી. અમે આ અંગે CM અને ડેપ્યુટી CMને પણ જાણ કરી છે અને તેઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

સંજય શિરસાટે કહ્યું કે, અમે હંમેશા NCP અને શરદ પવારની વિરુદ્ધ છીએ. શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને પ્યાદુ બનાવીને સરકાર ચલાવી.મહારાષ્ટ્રના CM હોવા છતાં તેઓ અમારા નહોતા. અમારો વિરોધ વાજબી છે. અગાઉ પણ અમે ઉદ્ધવ ઠાકરેને NCP પાર્ટી છોડવાનું કહેતા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મુદ્દાનો ઉકેલ લાવશે.

આ પહેલા સોમવારે પણ શિંદે જૂથના તમામ મંત્રીઓ CM શિંદેને થાણેમાં તેમના ખાનગી નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કેબિનેટ મંત્રીઓ સાથે ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, શંભુરાજ દેસાઈ, શિંદે જૂથના નેતાઓ દાદા ભુસે, સંદીપન ભુમરે હાજર હતા. અજિત પવાર અને તેમના વફાદારોને સરકારમાં સામેલ કરવાના નિર્ણય પર પણ બધાએ નારાજગી વ્યક્ત કરી હતી.

શિંદે કેમ્પમાં બેચીનીનું કારણ પાયાવિહોણું નથી. હકીકતમાં, શિંદે-ફડણવીસ સરકારે 30 જૂને જ એક વર્ષ પૂરુ કર્યું હતું, પરંતુ હજુ પણ રાજ્યમાં 23 કેબિનેટ ખાલી છે. અજિત પવારના બળવા અને NDAમાં તેમના પ્રવેશનો એપિસોડ સામે આવ્યો, અન્યથા મહારાષ્ટ્ર સરકાર જુલાઈમાં કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે તે લગભગ નિશ્ચિત હતું. એવા સમાચાર સામે આવ્યા છે દેખીતી રીતે, જો કેબિનેટ વિસ્તરણ માત્ર ભાજપ-શિવસેના વચ્ચે થયું હોત, તો શિંદે જૂથના નેતાઓ અને ધારાસભ્યોને ખાતા મળી ગયા હોત. પરંતુ, જ્યારે અજિત પવારે NDAમાં એન્ટ્રી લીધી ત્યારે તેમની સાથે 8 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આવી સ્થિતિમાં આ મંત્રી પદો ભાજપ-શિવસેનાના ક્વોટામાંથી કાપવામાં આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.