ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- જ્યાં સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં બને ત્યાં સુધી..

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હમેંશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે, ચમત્કારની વાત હોય, હિંદુ રાષ્ટ્રની વાત હોય ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં રહેતા હોય છે. હવે તેમણે કર્ણાટકના લોકો માટે એક નિવેદન આપ્યું છે જેને કારણે ભારે ચર્ચા ઉભી થઇ છે. પોતાને બાગેશ્વર સરકાર તરીકે ઓળખાવતા ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસો પહેલા ગુજરાતની 10 દિવસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ઓડિશાના ટ્રેન અકસ્માત વિશે પોતાને ખબર હોવાની વાત કહી એ વાતનો પણ ભારે વિવાદ ઉભો થયો હતો.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના નિવેદનોને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. હવે તેમણે કર્ણાટકને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે કર્ણાટકમાં પણ રામ અને હનુમાનના નામની ચર્ચા થશે. જ્યાં સુધી હિન્દુઓ એક નહીં થાય, જયા સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં બને ત્યાં સુધી હું તમને બધાને જગાડતો રહીશ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, અમે કર્ણાટકના લોકોને ભૂત નહીં, પરંતુ ભગવાન પકડાવીશું. અમારા Wi-Fi માં તમામ સિગ્નલો છે. તમે જે સાંભળી શકો તે જ પૂછજો. દુનિયામાં એવું કોઈ નથી કે જેનું કોઇ કાંડ ન હોય. જેઓ કહે છે કે ભગવાન નથી તેમને થપ્પડ મારવા માટે આ સિદ્ધિઓ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન શું છે તેના પર હું પુસ્તક લખી રહ્યો છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જે ધર્માતરણ કરાવી રહ્યા છે, તેમને હવે છોડવામાં નહીં આવશે. સનાતનને છોડીને હનુમાનની શક્તિઓનીનો સામનો કરવાની કોઇનામાં તાકાત નથી. તેમને ઉઘાડા પાડી દઇશું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમારો એક જ સ્વાર્થ છે ભારત રામમય થઇ જાય.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમારી પાર્ટી બજરંગ બલીની પાર્ટી છે. જે સાક્ષીની સાથે થયું તે ફરી બીજા કોઇ સાથે ન થાય તેના માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ધર્મના વિરોધી નથી, અમે કટ્ટર સનતાની છીએ. તેમણે કહ્યું કે ઇનકા જલના રહેગા અને હમારા જલવા રહેગા.

કર્ણાટક વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં બજરંગ દળ પર પ્રતિબંધની વાત કરી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા કર્ણાટકમાં  બજરંગ બલીના પાઠ કરાવ્યા હતા. જો કે આમ છતા ભાજપ કર્ણાટકમાં ચૂંટણી હારી ગયું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.