ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઈન દવા ખરીદવાને કારણે સ્વાસ્થ્યને થઈ રહ્યું છે નુકસાન!

ખાવાના અને કપડાંની જેમ શું તમે ડિસ્કાઉન્ટના ચક્કરમાં દવાઓ પણ ઓનલાઈન ખરીદો છો? જો હાં, તો આ ખબર તમારા કામની છે. ડિસ્કાઉન્ટની લાલચમાં ડાયરેક્ટ ઓનલાઈન દવાઓ ના લો. ખોટી દવાઓથી સારવાર બગડી શકે છે, પૈસા પણ બદબાદ થશે. ગુજરાત હાઈકોર્ટે દવાઓ અને શિડ્યૂલ્ડ દવાઓના ઓનલાઈન વેચાણ વિરુદ્ધ એક અરજી પર નોટિસ જાહેર કરી છે. આ મામલામાં કેન્દ્ર અને રાજ્યના સંબંધિત અધિકારી, અરજીકર્તા (જેણે ઓનલાઈન દવાઓના વેચાણ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે) કરી તમામ દલીલો સામે લડવા એફિડેવિટ દાખલ કરી.

ઓનલાઈન દાવઓ ખરીદનારા ગ્રાહકો થઈ જજો સાવધાન, કારણ કે...

  • ઈ-ફાર્મસી કંપનીઓ, ગ્રાહક અને કર્મચારીની વચ્ચે કોલ પર વાતચીત કરીને પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરી દે છે.
  • ડૉક્ટરની સલાહ અને મેડિકલ રિપોર્ટ જોયા વિના પણ ગ્રાહકો માટે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન તૈયાર થઈ જાય છે.
  • ઈ-ફાર્મસીની પાસે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940ની કલમ-18 અંતર્ગત મળનારા જરૂરી લાયસન્સ પણ નથી.
  • કેટલીક એવી દવાઓ છે, જેને ઈ-ફાર્મસી કોઈપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વિના જ વેચી દે છે. આવી દવાઓને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ સરળતાથી ખરીદી શકે છે.
  • ઈ-ફાર્મસી શિડ્યૂલ્ડ દવાઓને પણ કોઈપણ પ્રકારની પરવાનગી વિના ખુલ્લેઆમ વેચી રહી છે.

ઉપર લખેલા બધા દાવા અરજીકર્તાએ ગુજરાત હાઈકોર્ટમાં કર્યા છે. અરજીકર્તાના વકીલે અપીલ કરી છે કે આ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે. નહીં તો લોકોના જીવન પર તેની ખરાબ અસર પડી શકે છે.

માત્ર એક અરજીકર્તાએ જ નહીં, પરંતુ થોડાં સમય પહેલા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પણ ઈ-ફાર્મસી પર લગામ લગાવવાની માગ કરી હતી. ઓનલાઈન દવાઓ વેચનારી વેબસાઈટ પર CAITએ આરોપ લગાવ્યો હતો કે તે ખોટી રીતે નકલી અને ભેળસેળવાળી દવાઓ વેચી રહ્યા છે. તેના પર શિકંજો કરવો જોઈએ. CAIT અનુસાર,

  • ઈ-ફાર્મસીના નામ પર આ ઓનલાઈન કંપનીઓ એ દવાઓ પણ વેચી રહી છે, જેની પરવાનગી નથી.
  • ભારતમાં ઘણી બધી વિદેશી અને દેશી કોર્પોરેટ કંપનીઓ ઓનલાઈન ફાર્મસીમાંથી દવાઓ વેચવા દરમિયાન નિયમ-કાયદા તોડી રહી છે.

મેક્સ વૈશાલીએ મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉ. પંકજાનંદ ચૌધરી અનુસાર, ઓનલાઈન દવાઓ મંગાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તે ઓથેન્ટિક હોવી જરૂરી છે. જે વેબસાઈટ પરથી તમે દવાઓ મંગાવી રહ્યા છો, તે રજિસ્ટર્ડ છે તો ઓનલાઈન દવાઓ મંગાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી.

  • જે લોકો ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઈન દવાઓ મંગાવે છે, તેઓ સસ્તી દવા ક્યાંથી લઈ શકે છે?
  • આજકાલ વધુ વેચાણ માટે મેડિકલ સ્ટોરવાળા 15થી 20% સુધી ડિસ્કઉન્ટ આપે છે, તો એવી દુકાનો પસંદ કરો જે વધુ ડિસ્કાઉન્ટ આપે.
  • સરકારી હોસ્પિટલમાંથી સસ્તી દવાઓ લઈ શકાય છે.
  • મેડિકલ સ્ટોર પર પણ બે પ્રકારની દવાઓ હોય છે, એક બ્રાન્ડેડ અને એક સામાન્ય (Generic) દવાઓ, તમે જેનેરિક દવાઓ લઈ શકો છો.
  • સરકારે સસ્તી દવા માટે દરેક જિલ્લામાં જન ઔષધિ કેન્દ્ર ખોલ્યા છે, જ્યાંથી તમે સસ્તી દવા લઈ શકો છો.
  • કેન્દ્ર સરકારની અમૃત ફાર્મસી પરથી પણ સસ્તી અને સારી ક્વોલિટીની દવાઓ લઈ શકાય છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.