ગિરિરાજ સિંહે શું કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી મોજમાં આવી કારના ડેશ બોર્ડને...

બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પટના પહોંચી ગયા છે. એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. દિલ્હીના સાંસદ અને બિહારના રહેવાસી મનોજ તિવારી પણ એરપોર્ટ પર હાજર હતા. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ પછી જ્યારે તે એરપોર્ટથી બહાર નીકળવાનો વખત આવ્યો ત્યારે સાંસદ મનોજ તિવારી પોતે કાર ચલાવી રહ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વાહનમાં બેઠા હતા. મીડિયાનો પણ વિશાળ જમાવડો જોવા મળ્યો હતો. કારનો કાચ બંધ હતો, પછી ગિરિરાજ સિંહે ધીરેન્દ્ર શાસ્ત્રીને કંઈક કહ્યું અને તેઓ જોરથી હસી પડ્યા. કારના ડેશ બોર્ડ પર હાથ જોરથી મારવા લાગ્યા. 

ધીરેન્દ્ર શાસ્ત્રીની પટના મુલાકાતને લઈને જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. પટના જિલ્લા પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા એલર્ટ મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પર આતંકવાદી અથવા ઉગ્રવાદી હુમલો થઈ શકે છે. પટના જિલ્લા પ્રશાસને અગાઉની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ આશંકા વ્યક્ત કરી છે. જિલ્લા પ્રશાસને તરેત પાલીમાં 24 કલાક પોલીસ દળ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. 

તરેત પાલીમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ 13-17 મે સુધી છે. આ પ્રસંગે, સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, દાનાપુરના સબ-ડિવિઝનલ ઓફિસરે સ્થળને ચિહ્નિત કર્યું છે અને મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારી અને દળોની ડેપ્યુટેશન કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવા મહત્વપૂર્ણ અવસર પર ઉગ્રવાદી અથવા આતંકવાદી સંગઠનો તેમની વિનાશક નીતિના ભાગરૂપે જાન-માલને નુકસાન પહોંચાડવા માટે IEDનો ઉપયોગ કરી શકે છે. 

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો તા.13-17 સુધી તરેત, નૌબતપુર, પટણા ખાતે પ્રવચનનો કાર્યક્રમ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ કાર્યક્રમ રાજકીય વિવાદોમાં ઘેરાયેલો છે. ધર્મનિરપેક્ષતાના નામે સત્તાધારી પક્ષના ઘણા મોટા નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધર્મ અને આધ્યાત્મિકતાના નામે સમર્થન કરી રહ્યા છે. કથા સમિતિના જણાવ્યા અનુસાર જર્મન પંડાલ ત્રણ લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો છે. 200 વીઘામાં કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાપ્રસાદ માટે 60 કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે.

એવો અંદાજ છે કે, બિહાર ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, નેપાળ સહિતના દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ બાબાને સાંભળવા આવશે. 

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.