PM મોદીએ રોડ શોમાં એવું તે શું કર્યું કે, તેમની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન...

કેરળના ત્રિશૂરમાં રહેતા એક વ્યક્તિએ દેશના PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે કોચીમાં એક રોડ શોમાં PM નરેન્દ્ર મોદી વાહનના ખુલ્લા દરવાજાથી બહારની તરફ લટકતા હતા. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, PM નરેન્દ્ર મોદીની કારના કાચ ફૂલોથી ઢંકાયેલા હતા. જેના કારણે વાહનચાલકને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે કારણ કે તેનો વ્યુ બ્લોક થઈ રહ્યો છે.

દક્ષિણ ભારતની એક મીડિયા સંસ્થાએ આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ ફરિયાદ પોલીસ મહાનિર્દેશક અને મોટર વાહન વિભાગને કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે, સમાજના લોકોને કાયદાનું પાલન કરવાનું શીખવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

PM નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાત માટે 24 એપ્રિલ, સોમવારે કોચી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક રોડ શોમાં ભાગ લીધો હતો. કેરળમાં PM નરેન્દ્ર મોદીનો આ પહેલો રોડ શો હતો. તેમને જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા.

રોડ શો દરમિયાન PM નરેન્દ્ર મોદી કારમાંથી નીચે ઉતરીને થોડીવાર સુધી ચાલવા લાગ્યા હતા. લગભગ 20 મિનિટ ચાલ્યા બાદ તેઓ વાહનના ફૂટબોર્ડ પર ઉભા રહ્યા હતા. કારનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. આ દરમિયાન તેમણે હાઈવેની બાજુમાં અને ત્યાંની ઈમારતો પર તેમની રાહ જોઈ રહેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમના સ્વાગતમાં ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. આ જ ફૂલો કારના કાચ પર પણ પડ્યા હતા. તમે આખા રોડ શોનો વીડિયો અહીં જોઈ શકો છો.

વિડિયો શોધવા માટે BJP પાર્ટીના યુટ્યુબ પેજ પર ગયા ત્યારે, તિરુવનંતપુરમ રોડ શોનો વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો. ત્યાં PM નરેન્દ્ર મોદી વાહનના ફૂટબોર્ડ પર ઉભા રહીને લોકોનું અભિવાદન કરતા જોવા મળે છે.

અહીં તમને જણાવી દઈએ કે, કેરળની બે દિવસીય મુલાકાતે PM નરેન્દ્ર મોદીએ દેશના પહેલા ટેક પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. બાકી આ ફરિયાદો પર પોલીસ શું કાર્યવાહી કરે છે. એ તો આવનારો સમય જ બતાવશે, જે ખરેખર જોવા લાયક હશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.