એવું તે શું થયું કે, સ્પીકરે કહ્યું- હું લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેસવાનો નથી

On

લોકસભા સ્પીકર ઓમ બિરલા સખત નારાજ થયા છે અને તેમણે ચિમકી આપી છે કે જ્યાં સુધી સંસદમાં શિસ્ત જાળવવામાં નહીં આવે ત્યાં સુધી પોતે લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેસશે નહીં. 1લી ઓગસ્ટે સંસંદમાં એવું તે શું બન્યું કે, ઓમ બિરલા આટલા બધા નારાજ થઇ ગયા?લોકસભામા ચોમાસું સત્ર શરૂ થવાની સાથે હંગામો ચાલી રહ્યો છે, પરંતુ 1 ઓગસ્ટ, મંગળવારે સંસદમાં એવું કઇંક થયું જેણે કસ્પીકર ઓમ બિરલાને દુખી કરી દીધા.

લોકસભામાં મંગળવારે,1 ઓગસ્ટના દિવસે બનેલી ઘટનાથી સ્પીકર ઓમ બિરલા નારાજ છે. પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે સ્પીકર બિરલા સંસદ ભવનમાં હોવા છતાં લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેઠા ન હતા. લોકસભા અધ્યક્ષે પાર્ટી અને વિપક્ષના સભ્યો પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને પોતાના નિર્ણય વિશે પણ જાણકારી આપી હતી.

સ્પીકર બિરલાએ કહ્યું કે જ્યાં સુધી ગૃહમાં શિસ્ત નહીં આવે ત્યાં સુધી તેઓ સ્પીકરની બેઠક પર જશે નહીં. સ્પીકર બિરલાએ કહ્યું કે તેમના માટે ગૃહની ગરિમા સર્વોચ્ચ છે. ગૃહની મર્યાદા જાળવવી એ દરેકની સામુહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે ગૃહમાં કેટલાક સભ્યોનું વર્તન ગૃહની ઉચ્ચ પરંપરાઓ વિરુદ્ધ છે.

સ્પીકર બિરલાએ બંને પક્ષોને તેમના નિર્ણય વિશે જાણ કરી દીધી છે. 1 ઓગસ્ટના દિવસે લોકસભામાં વિપક્ષના સભ્યો માત્ર નારા લગાવીને વેલમાં જ નહોતા આવ્યા, પરંતુ સ્પીકરની સીટ તરફ પેમ્ફલેટ પણ ફેંક્યા હતા.

મંગળવારે વિપક્ષી સાંસદોએ જે રીતે હંગામો કર્યો તેનાથી સ્પીકર ઓમ બિરલા ખૂબ નારાજ છે. તેમણે કહ્યું કે, મંગળવારે દિલ્હી સર્વિસ બિલ દરમિયાન જે પ્રકારનો હંગામો થયો હતો, તેમાં એક પણ વાત સાંભળવા દેવામાં આવી ન હતી, આ પ્રકારનું ગૃહ ચાલી શકે નહીં. ઓમ બિરલા બુધવારે લોકસભામાં ગયા ન હતા.

જુદા જુદા રાજકીય પક્ષોને સખત ચેતવણી આપીને તેમણે કહ્યું કે, જ્યાં સુધી સંસદને સુચારી રીતે ચાલવામાં દેવામાં નહીં આવશે ત્યાં સુધી, હું ગૃહમાં જવાનો નથી.

મંગળવારે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કર્યું. બિલ રજૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો, જેના પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આમ આદમી પાર્ટી દિલ્હી સર્વિસ બિલનો વિરોધ કરી રહી છે. આ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધન INDIAના સભ્ય પક્ષોએ પણ તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.