મૌલાના તૌકીર રઝાએ ઓક્યૂ ઝેર, બોલ્યો- ક્યાંક એમ ન થાય કે અમારો સમુદાય પણ..

On

ઇત્તેહાદ મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા અલી ખાને રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદબાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હાતી. તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રની માગ પર સખ્તી લગાવવી જરૂરી છે, નહિતર મુસ્લિમ રાષ્ટ્રની પણ માગ ઉઠશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ જોરદાર નિવેદનબાજી કરી. મુસ્લિમ ધર્મગુરુએ કહ્યું કે, જો હિન્દુ રાષ્ટ્રની વાત કરવી યોગ્ય છે, સરકાર એવી માગ કરનારા લોકોની ધરપકડ કરતી નથી તો પછી ખાલિસ્તાનની માગ કરનારાઓ પર શા માટે કેસ ચલાવવામાં આવે છે?

જે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવવો જોઈએ. નહિતર કાલે એમ ન થાય કે આ હિન્દુ રાષ્ટ્રવાળાઓના કારણે મુસ્લિમ સમુદાય ઊભો થઈ જાય અને મુસ્લિમ રાષ્ટ્રની વાત કરવા લાગે, પરંતુ અમે એમ નહીં થવા દઈએ. દેશના વધુ એક ભાગલા કોઈ કિંમત પર નહીં થવા દઈએ. તેની સાથે જ મૌલાના તૌકીર રઝાએ આગળ કહ્યું કે, અમે દેશની એકતા અને અખંડતા માટે ઊભા છીએ. હવે માત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂં પાસે આશા છે. તેઓ તેમની વાત સંભાળશે કેમ કે મહિલાઓની અંદર હમદર્દીનું ઝનૂન હોય છે.

દ્રૌપદી મુર્મૂં મેમ પાસે મને એ આશા છે કે, તેઓ અમારી આ વાતો સંભાળશે અને હમદર્દી સાથે અમારી વાતો પર ધ્યાન આપશે. તો જે લોકો દેશને વહેચવા માગે છે અને હિન્દુ-મુસ્લિમ દંગા કરાવવા માગે છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને જે કાફિરોની હિમાયત કરી રહ્યા છે, એ તમામ લોકોની ફરિયાદ કરીને કેસ કાયમ કરવામાં આવે. તૌકીર રઝાએ કહ્યું કે, હિન્દુ દીકરીઓનો હક્ક મારીને બીજા ધર્મની છોકરીઓને અપનાવી લેવામાં આવી. એ હિન્દુ સમાજનું કેટલું મોટું નુકસાન છે. આ એ હિન્દુઓએ કર્યું છે કે મુસ્લિમો સાથે દુશ્મનીની વાત કરે છે અને હિન્દુઓના હિમાયતી બનવાની વાત કરે છે.

હકીકતમાં તેઓ ન હિન્દુઓના હિમાયતી છે અને ન તો મુસ્લિમોના હિમાયતી છે. તેઓ દેશના ગદ્દાર છે અને હિન્દુ સમાજના ગદ્દાર છે. તૌકીર રઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના સમયના ધુતરાષ્ટ્ર કહી દીધા છે. તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે, કેટલાક હિન્દુ સંગઠન મુસ્લિમ દુશ્મનીમાં અંધ થઈને હિન્દુ સમાજનું ગળું આપી રહ્યા છે. એક સર્વે મુજબ લગભગ 10 લાખ મુસ્લિમ છોકરીઓને બહેકાવીને લાલચ આપીને અપહરણ કરીને હિન્દુ બનાવી દેવામાં આવી છે. તેને ઘર વાપસીનું નામ આપવામાં આવ્યું છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati