ટ્રેનમાં શું હોય છે HO ક્વોટા,જો તે લાગી જાય તો વેઇટિંગ ટિકિટ પણ કન્ફર્મ થઈ જાય

જ્યારે પણ ત્યાં ટિકિટ બુક કરાવો છો તો અલગ-અલગ ક્વોટા દ્વારા બુકિંગ થાય છે. જે લોકોનો સ્પેશિયલ ક્વોટા હોય છે, તેમને સીટ આપવામાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમ કે સીનિયર સિટિઝન માટે અલગ ક્વોટા હોય છે અને તેમને સીટ અલોટમેન્ટમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમની સાથે જ પત્રકારો માટે પણ ખાસ ક્વોટા હોય છે અને એવો જ એક ક્વોટા હોય છે, જેનું નામ છે HO ક્વોટા. આ ક્વોટાની ખાસ વાત એ છે કે તેમાં વેઇટિંગ લિસ્ટ પણ કન્ફર્મ થઈ જાય છે.

એવામાં સવાલ એ છે કે આખરે આ ક્વોટા શું છે? તે કોને મળે છે અને શું ટિકિટ બુકિંગ સમયે તેનો સહારો લઈ શકાય છે? સાથે જ સવાલ એવો પણ થાય છે કે આ ક્વોટા કોની સાથે જોડાયેલો હોય છે અને કયા પ્રકારે વેઇટિંગ લિસ્ટવાળી ટિકિટ કન્ફર્મ થઈ જાય છે.

શું હોય છે HO ક્વોટા?

HO ક્વોટા હેડ ક્વાર્ટર કે હાઇ ઓફિશિયલ હોય છે. માનવામાં આવે છે કે, આ ક્વોટાના માધ્યમથી કન્ફર્મ ટિકિટ મળી જ જાય છે. જો કે, આ ક્વોટાનો ઉપયોગ ટિકિટ બુકિંગના સમયે કરી શકાતો નથી. તેમાં પહેલા સામાન્ય વેઇટિંગવાળી ટિકિટ લેવી પડે છે અને તે ટિકિટ હેડ ક્વાર્ટર દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે. આ ક્વોટા ઇમરજન્સીમાં મુસાફરી કરનાર લોકો માટે અને VIP લોકો માટે હોય છે. મોટા ભાગના VIP લોકોને જ તેનો ફાયદો મળે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં નોર્મલ લોકોને પણ તેનો ફાયદો મળી શકે છે.

આ ક્વોટા માત્ર રેલવેના ઉચ્ચ અધિકારી, સરકારી ગેસ્ટ, VIP, મંત્રાલયના ગેસ્ટ વગેરે માટે યુઝ કરવામાં આવે છે. તેમાં વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી દેવામાં આવે છે અને તેની પ્રોસેસ પણ ચાર્ટ તૈયાર થવાના એક દિવસ પહેલા શરૂ થાય છે, જ્યારે તેના દ્વારા ટિકિટ કન્ફર્મ કરવામાં આવે છે તો ચાર્ટ બનવાના સમયે જ ટિકિટ કન્ફર્મની જાણકારી મળી જાય છે. HO ક્વોટામાં ટ્રેનના આધાર પર સીટ હોય છે. સામાન્ય રીતે તેની સંખ્યા ઘણી ઓછી હોય છે અને ટ્રેનના હિસાબે સીટોની સંખ્યાની સમીક્ષા કરવામાં આવે છે.

સામાન્ય વ્યક્તિને કેવી રીતે મળે છે ફાયદો?

સામાન્ય વ્યક્તિને કઈ રીતે તેનો ફાયદો મળી શકે છે અને HO ક્વોટા યુઝ કરવા માટે શું કરવું પડે છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ક્વોટાનો ફાયદો લેવા માગે છે તો તેના માટે યાત્રાની તારીખથી એક દિવસ અગાઉ અરજી કરવાની હોય છે. એવામાં તમારે એ સાબિત કરવાનું હોય છે કે તમારે ક્યાંક ઇમરજન્સીમાં જવાનું છે અને કામ ખૂબ જરૂરી છે.

તેમાં તમારે ઇમરજન્સી સાબિત કરનારા બધા દસ્તાવેજ મુખ્ય રિઝર્વ નિરીક્ષકને આપવાના હોય છે અને તેનું એક ફોર્મ હોય છે, જેને જમા કરવાનું હોય છે. પછી તેના પર એક ગેઝેટેડ અધિકારી પાસે સાઇન કરાવવાનું હોય છે પછી સીટ કન્ફર્મ થઈ જાય છે. ત્યારબાદ તેની જાણકારી મંડળ/ઝોનલ ઓફિસ પાસે મોકલવામાં આવે છે અને પછી અપ્રૂવ થવા પર ટિકિટ કન્ફર્મ થઈ જાય છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.