સ્વાભિમાન લગ્ન શું છે? સુપ્રીમ કોર્ટે તેને કેમ માન્યતા આપી

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, જીવન સાથી પસંદ કરવો એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 7A હેઠળ, સ્વાભિમાન લગ્ન અથવા સુયમરિયાથાઈ લગ્નની ઉજવણી કરવા માટે કોઈ જાહેર સમારંભ અથવા તેની જાહેરાત કરવાની જરૂર નથી.

આ આદેશ સાથે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના 2014ના નિર્ણયને પલટી નાખ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2014માં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વકીલો દ્વારા કરવામાં આવેલા લગ્નને માન્ય ગણવામાં આવશે નહીં. મદ્રાસ હાઈકોર્ટે સુયમરિયાથાઈ અથવા સ્વાભિમાન લગ્નને માન્ય ગણવાનો ઈન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી કરતા 29 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમિલનાડુમાં સંશોધિત હિંદુ મેરેજ એક્ટ હેઠળ વકીલો પરસ્પર સંમતિથી બે પુખ્ત વયના લોકો વચ્ચે સુયમરિયાથાઈ અથવા સ્વાભિમાન લગ્ન કરાવી શકે છે. આ મામલાની સુનાવણી કરતા S. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેંચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, વકીલો કોર્ટના ઓફિસર તરીકે લગ્ન કરાવી શકતા નથી. તેના બદલે, યુગલને વ્યક્તિગત રીતે જાણવાના આધારે, તે કાયદાની કલમ 7A હેઠળ લગ્ન કરાવી શકે છે.

તમિલનાડુ સરકારે વર્ષ 1968માં સુયમરિયાથાઈ લગ્નોને કાયદેસર બનાવવા માટે કાયદાની જોગવાઈઓમાં સુધારો કર્યો હતો. આ લગ્નનો હેતુ કોઈપણ લગ્નની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. આ લગ્નનો હેતુ લગ્ન પ્રણાલીને બ્રાહ્મણ પૂજારીઓની ચુંગાલમાંથી મુક્ત કરવાનો હતો. વર્ષ 1968માં, હિંદુ મેરેજ એક્ટ 1995 (સુધારો) વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદામાં કલમ 7A ઉમેરવામાં આવી હતી. આ કલમ હેઠળ સ્વાભિમાન લગ્નને માન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

સ્વાભિમાન લગ્ન બે લોકોને કોઈપણ રીત રિવાજો અને ધાર્મિક વિધિઓનું પાલન કર્યા વિના લગ્ન કરવાની મંજૂરી આપે છે. અહીં તમને જણાવી દઈએ કે, આવા લગ્નોને કાયદેસર રીતે રજીસ્ટર કરાવવા પણ જરૂરી છે. આવા લગ્નથી લોકોના પૈસા રિવાજો અને ધાર્મિક વિધિઓમાં વેડફાતા નથી.

સમાજ સુધારક અને નેતા પેરિયાર E.V. રામાસ્વામીએ 1925માં તમિલનાડુમાં સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય જાતિના ભેદભાવને દૂર કરવાનો અને સમાજમાં રહેલા નીચલી જાતિના લોકોને સન્માન આપવાનો હતો. સ્વાભિમાન ચળવળમાંથી સ્વાભિમાન લગ્ન નીકળીને બહાર આવ્યા. વર્ષ 1928માં પ્રથમ સ્વાભિમાન લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાભિમાન લગ્નમાં, કોઈપણ ધર્મ અને જાતિના લોકો એકબીજા સાથે લગ્ન કરી શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.