શું છે ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’, જેને રઘુરામ રાજને અર્થવ્યવસ્થા માટે જોખમી બતાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ને લઇને ચેતવણી જાહેર કરી છે. તેમણે પ્રાઇવેટ સેક્ટરમાં રોકાણની કમી, ઉચ્ચ વ્યાજદરો અને વૈશ્વિક વૃદ્ધિની મંદ પડતી રકમને જોતા કહ્યું કે, ભારત નિમ્ન વૃદ્ધિવાળો ‘હિન્દુ વૃદ્ધિ દર’ ખૂબ જ નજીક પહોંચી ગયો છે. ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર વર્ષ 1950થી લઇને વર્ષ 1980ના દશક સુધી 4 ટકાના નિમ્ન સ્તર પર રહ્યો હતો, જેને હિન્દુ રેટ ગ્રોથ પણ કહેવામાં આવે છે.

ધીમી વૃદ્ધિ માટે ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ નામ વર્ષ 1978માં ભારતીય અર્થશાસ્ત્રી રાજ કૃષ્ણએ આપ્યું હતું. રાજન મુજબ, નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ (NSO)એ ગયા મહિને રાષ્ટ્રીય આવકનું જે અનુમાન જાહેર કર્યું છે તેનાથી ત્રિમાસિક વૃદ્ધિમાં ક્રમિક નરમીના સંકેત મળે છે, જે ચિંતાની વાત છે. NSO મુજબ, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજી ત્રિમાસિકમાં સકલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વૃદ્ધિ દર ઘટાડીને 4.4 ટકા રહી ગયો, જે બીજા ત્રિમાસિક (જુલાઇ-સપ્ટેમ્બર)માં 6.3 ટકા અને પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં 13.2 ટકા હતો. પહેલા નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર 5.2 ટકા રહ્યો હતો.

પૂર્વ ગવર્નરે કહ્યું કે, આશાવાદી નિશ્ચિત જ ગત GDP આંકડામાં કરવામાં આવેલા સુધારાની વાત કરીશું, પરંતુ ક્રમિક નરમીને લઇને ચિંતિત છું. પ્રાઇવેટ સેક્ટર રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. RBI વ્યાજદર વધારતી જઇ રહી છે અને વૈશ્વિક વૃદ્ધિ આવનાર સમયમાં હજુ ધીમી પડવાની સંભાવના છે. એવામાં મને ખબર નથી કે વૃદ્ધિ કયા પ્રકારે સ્પીડ પકડશે. આગામી નાણાકીય વર્ષ (2023-24)માં ભારતનો વૃદ્ધિ દર બાબતે પૂછવામાં આવેલા એક સવાલ પર પૂર્વ RBI ગવર્નરે કહ્યું કે, 5 ટકાની વૃદ્ધિ પણ હાંસલ થઇ ગઇ તો આપણી ખુશનસીબી હશે. ઓક્ટોબર-ડિસેમ્બરના GDPના આંકડા બતાવે છે કે વર્ષના પહેલા ત્રિમાસિકમાં વૃદ્ધિ નબળી પડશે.

રઘુરામ રાજને કહ્યું કે, મારી આશંકાઓ કારણ વિનાની નથી. RBIએ તો ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં હજુ ઓછી 4.2 ટકાના વૃદ્ધિ દરનું અનુમાન લગાવ્યું છે. આ સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની એવરેજ વાર્ષિક વૃદ્ધિ 3 વર્ષ પહેલાંની તુલનામાં 3.7 ટકા છે. તે જૂની ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ની ખૂબ નજીક છે અને તે ડરાવનારી વાત છે. આપણે તેનાથી સારું કરવું પડશે. જો કે, તેમણે માન્યું કે, સરકાર ઢાંચાગત રોકાણના મોરચા પર કામ કરી રહી છે, પરંતુ ડિસઇન્વેસ્ટમેન્ટ પર ભાર આપવાની અસર દેખાવાની બાકી છે. તેમણે સેવા ક્ષેત્રના પ્રદર્શનને ચમકતો પક્ષ બતાવતા કહ્યું કે, તેમાં સરકારની ભૂમિકા કંઇ ખાસ નથી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.