RPF કોન્સ્ટેબલે શા કારણે ટ્રેનમાં કર્યું હતું ફાયરિંગ? બહાર આવી હકીકત

ગઈકાલે જયપુરથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના એક જવાન દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક RPF ASI અને 3 પેસેન્જર્સની ફાયરિંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગ કરનારા RPF ચેતન સિંહની ધરપકડ કરી લેવામાં આવી. આ ઘટના સામે આવ્યા પછી લોકોના મનમાં સવાલ છે કે આખરે આરોપીએ તેના સહકર્મી પર શા માટે ફાયરિંગ કર્યું અને યાત્રીઓ પર શા કારણે ગોળી ચલાવી?

આ ઘટનાને લઈ ગોળી ચલાવનારા આરોપીના સહકર્મીનું એક નિવેદન સામે આવ્યું છે. RPFના કોન્સ્ટેબલ ઘનશ્યામ આચાર્ય, આરોપી ચેતન સિંહ અને મૃતક ASI ટીકારામ મીણાની સાથે રવિવારે રાતે ડ્યૂટી પર તૈનાત હતા. ઘનશ્યામ આચાર્યે પોલીસને આ ઘટના વિશે જાણકારી આપી છે.

ઘનશ્યામ આચાર્ય અનુસાર, જયપુર-મુંબઈ ટ્રેનમાં પોતાના સીનિયર અને ત્રણ પેસેન્જરોની ગોળી મારી હત્યા કરનારા ચેતન સિંહે ઘટનાના અમુક કલાક પહેલા તેના સહકર્મીઓને જણાવ્યું હતું કે, તે અસ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છે. તે મીણા, નરેન્દ્ર પરમાર અને ચેતન સિંહ સાથે એસ્કોર્ટ ડ્યૂટી પર હતા. તેઓ લગભગ 2.53 વાગ્યે સુરતથી મુંબઈ જનારી ટ્રેનમાં ચઢ્યા. ચેતન સિંહ અને શ્રીમીના એસી કોચમાં ડ્યૂટી પર હતા અને આચાર્ય-પરમાર સ્લીપર કોચમાં હતા.

આ દરમિયાન ચેતન સિંહ ટ્રેનમાંથી ઉતરવા માગતો હતો, પણ તેને પોતાની શિફ્ટ પૂરી કરવા કહેવામાં આવ્યું. જેને લીધે તેને ગુસ્સો આવી ગયો અને પછી વિવાદ શરૂ થઇ ગયો. આ દરમિયાન ચેતને કથિતપણે પોતાના સહકર્મીનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. ત્યાર પછી ગુસ્સામાં આવીને તેણે ગોળી ચલાવી દીધી. ફાયરિંગ કર્યા પછી તે દહિસર સ્ટેશનની પાસે ટ્રેનમાંથી કૂદી ગયો. ત્યાર પછી આરોપીની તેની સર્વિસ ગન સાથે ધરપકડ કરી લેવામાં આવી.

પોલીસે જણાવ્યું કે, આરોપી માનસિક રીતે અસ્થિર છે. તેણે મુસ્લિમોને લઇ ઘણી ટિપ્પણીઓ પણ કરી હતી. જેનો ASIએ વિરોધ કર્યો હતો. આ વાતને લીધે આરોપીએ ગોળી ચલાવી દીધી. ત્યાર પછી ત્રણ યાત્રીઓની પણ હત્યા કરી નાખી. આ ઘટનાને લઈ ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં આરોપી કોન્સ્ટેબલ મુસ્લિમો અને પાકિસ્તાનને લઇ ઘણાં અપશબ્દ બોલી રહ્યો છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.