જો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં બધી 2000ની નોટ નહીં આવે તો RBI શું કરશે?

2000 રૂપિયાની નોટને ચલણમાંથી ખેંચી લેવાની જાહેરાત બાદ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે તેને પણ ગેરકાયદે જાહેર કરવામાં આવશે? અત્યાર સુધી RBIએ આવી કોઈ જાહેરાત કરી નથી. જો કે, RBIના સૂત્રોને ટાંકીને  અહેવાલો પ્રસિદ્ધ થયા છે તેમાં કહેવા મુજબ, જો 2000ની મોટાભાગની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં પરત નહીં આવે તો RBI કડક પગલાં લઈ શકે છે. અહેવાલો મુજબ, જો મોટાભાગની 2000ની નોટો બેંકોમાં પરત આવી જશે તો તેને ગેરકાયદે જાહેર કરવાની અત્યારે કોઇ જરૂર નહીં પડે.RBIએ કહ્યું છે કે નોટ બદલવા બેંકોમાં ભીડ કરશો નહી, 4 મહિનાનો સમય છે, શાંતિથી બદલાવજો.

RBIના સૂત્રોના કહેવા મુજબ RBIએ જેટલી નોટોની પરત થવાની ધારણાં રાખી છે તેનાથી ઓછી નોટ જમા થશે તો કેન્દ્રીય બેંક સખત પગલા લેશે.જેમની પાસે આ નોટો છે તેમની પાસેથી નોટ પરત મળે તે સુનિશ્ચિત કરવા માટે RBI નિયમોને વધુ કડક બનાવવા પર વિચાર કરશે. હાલના તબક્કે, તે કાયદાકીય ચલણ રાખવામાં આવ્યું છે જેથી કરીને વિદેશમાં રહેતા લોકો અથવા જેમને ખરેખર કોઈ સમસ્યા હોય અને નોટો જમા કરાવવામાં સક્ષમ ન હોય તેમને સમય મળી શકે.

ગયા શુક્રવારે રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે 2000ની જે નોટ સરક્યુલેશનમાં છે તેની વેલ્યૂ 3.62 લાખ રૂપિયા છે. આ બજારમાં મોજુદ બધા ચલણનો 10.8 ટકા હિસ્સો છે. લગભગ 5 વર્ષ પહેલાં 31 માર્ચ 2018ના દિવસે 2000ની જે નોટ સરક્યુલેશનમાં હતી તેની વેલ્યૂ 6.73 લાખ કરોડ રૂપિયા હતી.તે વખતે 2000ની નોટનો હિસ્સો 30 ટકા હતો.

RBIના ગર્વનર શક્તિકાંત દાસે લોકોને આગ્રહ કર્યો છે કે મહેરબાની કરીને બેંકોમાં એક સાથે જઇને ભીડ કરવાની કોઇ જરૂરત નથી. તમે ધીમે ધીમે કરીને તમારી નોટ બદલાવી શકશો. એના માટે તમારી પાસે 4 મહિનાનો સમય છે. એક દિવસમાં 10 નોટ બદલી શકાશે. RBIએ કહ્યુ છે કે નોટ બદલવા માટે કોઇ ફોર્મ કે ID આપવાની જરૂરત નથી, પરંતુ આમ છતા ઘણી બધી બેંકો લોકો પાસે ફોર્મ ભરાવે છે અને ID પણ માંગે છે.

વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધી પછી રોકડની અછત પુરી કરવા માટે 2000ની નોટ ચલણમાં લાવવામાં આવી હતી.RBIએ ક્લીન નોટ પોલીસી હેઠળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.